________________
૧૨ लोभाविले आययईं अदत्तं [લોભગ્રસ્ત થઈને અદત્ત ગ્રહણ કરે છે]
લોભી માણસ ક્યારે ચોરી કરી બેસે તે કહેવાય નહિ. ચોરીના મૂળમાં જે કેટલાંક કારણો રહેલાં છે તેમાંનું એક મુખ્ય કારણ તે લોભ છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે : रुवे अतित्ते य परिग्गहम्मि सत्तोवसत्तो न उवेइ तुद्धिं । अतुट्रिदोसेण दुही परस्स लोभाविले आययई अदत्तं ॥29॥ [મનોજ્ઞ રૂપના પરિગ્રહમાં આસક્ત થયેલો જીવ જ્યારે અતૃપ્ત થાય છે ત્યારે તેની આસક્તિ વધે છે અને તે સંતોષ મેળવી શકતો નથી. ત્યારે અસંતોષના દોષ વડે દુઃખી થયેલો તે અત્યંત લોભ વડે મલિન થઈને અન્યનું નહિ દીધેલું પણ ગ્રહણ કરે છે.] तम्हाभिभूयस्स अदत्तहारिणो रूवे अतित्तस्स परिग्गहे य । मायामुसं वइई लोभदोषा तत्थावि दुक्खा न विमुच्चई से ॥30॥
[તૃષ્ણાથી પરાભવ પામેલો માણસ અદત્તને લેવા છતાં તે પરિગ્રહમાં તથા રૂપમાં અતૃપ્ત રહે છે. અદત્તને હરણ કરનારો તે લોભમાં આકર્ષાઈને માયા અને અસત્ય ઇત્યાદિ દોષોને વધારી મૂકે છે, છતાં તે દુઃખથી છૂટી શકતો નથી.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org