SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ વધા૨વો જોઈએ, એટલું જ નહિ પણ પરિગ્રહ વધારવાની ઇચ્છા પણ ના સેવવી જોઇએ. અલ્પતમ પરિગ્રહ પોતાની પાસે હોય, પરંતુ તેના ઉપભોગમાં અતિશય રસ પડતો હોય તો તે પણં વર્જ્ય ગણવામાં આવ્યો છે. ૧૩૨ સૂક્ષ્મ તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો સ્થૂલ પરિગ્રહ એટલે પુદ્ગલાસ્તિકાય. પુદ્ગલનું ચૈતન્ય સાથેનું વે૨ તો અનાદિકાળથી ચાવ્યું આવે છે. પુદ્ગલ ચેતનનો પીછો જલદી છોડે એમ નથી. જે જીવ પરિગ્રહમાં-પુદ્ગલમાં આસક્ત બને છે તે પોતે પોતાના પ્રત્યે જ વેર બાંધે છે. સૂક્ષ્મ દૃષ્ટિએ નિહાળીએ તો ઇચ્છાઓ, વાસનાઓ, લોભાદિ કષાયો તથા એ માટેની મૂર્છા એ પણ પરિગ્રહ છે. એ પરિગ્રહથી આત્મા સાથે જ વે૨ બંધાય છે. આત્માના એ શત્રુઓ છે. એ શત્રુઓને નિર્મૂળ કરવાના છે. પરિગ્રહનો ત્યાગ એટલે વેરનો ત્યાગ. જીવનો એટલે કે ચેતનનો ઉચ્ચતમ આદર્શ એ જ હોવો ઘટે. Jain Education International ܀܀܀ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy