________________
परिग्गह निविट्ठाणं वेरं तेसिं पवड्ढई
૧ ૩૧
અચાનક અવસાન થયું. નિવૃત્ત થવાની તેમની ભાવના તો દૂર રહી પણ તેમની અચાનક વિદાયને કારણે કારખાનામાં મોટી ખોટ આવવા લાગી. અને થોડાક મહિનામાં કારખાનું બંધ કરવાનો વખત આવ્યો. બે હજાર માણસો કામ-ધંધા વગરના બની ગયા. દરેક વખતે આવું જ બને છે એવું નથી, પરંતુ માણસે દીર્ઘદૃષ્ટિથી વિચારવાની જરૂર તો રહે જ છે.
જેઓએ શુદ્ધ ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી પોતાનું જીવન પસાર કરવું છે તેઓએ તો વિચારવું જોઈએ કે પોતાની પાસે પોતાનો જીવનનિર્વાહ ઘણી સારી રીતે થઈ શકે એટલું ધન જો હોય તો તેઓએ વધુ કમાવા માટેની પ્રવૃતિ છોડી દેવી જોઈએ, સ્વેચ્છાએ પોતે નિવૃત્તિ સ્વીકારી લેવી જોઇએ, નિવૃત્ત શાંત સ્વસ્થ, ધર્મમય પ્રસન્ન જીવન જીવવું જોઈએ. ઘણા માણસો પોતાના વેપાર-ધંધાને એટલો બધો વિકસાવે છે અને પછી પોતે જ અંદર એટલા બધા ખુંપતા જાય છે, કે તેમને માટે તેમાંથી નીકળવું જીવનના અંત સુધી શક્ય બનતું નથી. ઘણો સારો વેપાર-ધંધો ચાલતો હોય તો પણ માણસે તેમાંથી વેળાસર નિવૃત્ત થવાની ભાવના સેવવી જોઇએ અને તે પ્રમાણે યોજના પણ અગાઉથી વિચારવી જોઇએ. વેપાર-ધંધામાં માણસે પોતાના ઉત્તરાધિકારીનો વેળાસર વિચાર કરી લેવો જોઈએ.
શાસ્ત્રકારોએ વસ્તુ પ્રત્યેની આસક્તિને, મૂચ્છને પણ પરિગ્રહ તરીકે ઓળખાવી છે, એટલે માણસે પૂલ પરિગ્રહ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org