________________
कडाण कम्माण ण मोक्ख अत्थि ।
૩૫૫
બાકોરું જોવા એકઠા થયા હોય ત્યારે તો તેઓ પણ પોતે બનાવેલું બાકોરું જોવા જતા. બાકોરાનો આકાર કળશ જેવો, કમળ જેવો, સાથિયા જેવો, ધ્યાનમાં બેઠેલા માણસ જેવો કરતા. આપણને થાય કે એમાં તો વધારે વાર લાગે, પણ તેઓ એટલા અનુભવી અને કુશળ હોય કે ભીંતમાં તરત કલાત્મક બાકોરું કરી શકતા.
ભગવાને આ શ્લોકમાં “સંધિમુખ” શબ્દના ઉલ્લેખ દ્વારા તે કાળે બનતી ચોરીની એવી ઘટનાઓનો નિર્દેશ કર્યો છે. આ શ્લોકના સંદર્ભમાં “સંધિમુખનો ઉલ્લેખ કરીને ટીકાકાર શાસ્ત્રકારોએ ચોરનાં કેટલાંક દૃષ્ટાંતો વર્ણવ્યાં છે. પ્રિયંવદ નામનો એક સુથાર લાકડાની કલાકૃતિઓ બનાવવામાં ઘણો કુશળ હતો. બહુ થોડા સમયમાં એ સુંદર કલાકૃતિઓ બનાવી શકતો. વળી ભીંત ઉપર ખોદીને પણ જે કહો તે કલાકૃતિ ઘડીમાં બનાવી આપતો. એ સુથારને પછીથી ચોરીની ટેવ
પડી.
કલાત્મક બાકોરું કરવું એ એને માટે રમત વાત હતી. એક રાતે એણે કરવત અને બીજાં ઓજારો વડે ભીંતમાં કમળના આકારનું બાકોરું બનાવ્યું. પછી ચોરી કરવા માટે એણે બેઠાં બેઠાં બાકોરામાં દાખલ થવાનો પ્રયાસ કર્યો. સૌથી પહેલાં એણે પોતાના બે પગ બાકોરામાં દાખલ કર્યા. પરંતુ એજ વખતે ઘરનાં માણસો જાગી ગયા. દીવો કરીને જોયું તો બાકોરામાં બે પગ દેખાયા. તેમણે તરત જ બે પગ પકડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org