SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ જંજાળમાં સપડાયેલો તે ધન અહીં મૂકીને જ જાય છે. વેરભાવથી બંધાઈ તેવા જીવો મરીને નરક ગતિમાં જાય છે.] ભગવાને અહીં “સંધિમુખ” શબ્દ પ્રયોજ્યો છે. એનો અર્થ થાય છે ભીંતમાં પાડેલા બાકોરાનું મોંઢું. કેટલાંક કર્મો એવાં છે કે એનાં ફળ તરત જ ભોગવવાનાં આવે છે. અહીં જૂના વખતમાં ચોરી કરનાર ચોરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. જૂના વખતમાં જ્યારે વીજળીના દીવા નહોતા અને સાંજ પડે અંધારું થાય ત્યારે અંધારામાં ચોરો પ્રવૃત્ત થતાં. તેઓ ચોરી કરવા માટે દિવસ દરમિયાન ઘર જોઈ રાખતા અને ઘરમાં દાખલ થવા માટે કઈ ભીતમાં બાકોરું પાડવાની શક્યતા છે તે પણ નક્કી કરી લેતા, આવી રીતે ચોરી કરવા માટે રાતના ભીંતમાં બાકોરું કરવું એને “ખાતર પાડવું' કહે છે, બાકોરું બહુ મોટું પાડવામાં નહોતું આવતું, કારણ કે એમાં સમય વધુ લાગે અને પકડાઈ જવાની બીક રહે, એટલે નાના બાકોરામાં પહેલાં પગ નાખી પછી સૂતાં સૂતાં કે બેઠાં બેઠાં ઘરમાં દાખલ થવાતું. કોઈ ચોર તો દાખલ થતાં, “સંધિમુખ” એટલે છિદ્રના મોઢા આગળ જ પકડાઈ જતા. જૂના વખતમાં ચોરી એ પણ એક કલા ગણાતી. નાટ્યકાર શૂદ્રકે “મૃચ્છકટિક' નાટકમાં ચોર્યકલાનો નિર્દેશ કર્યો છે. કેટલાક સુતાર, લુહાર, કુંભાર વગેરે જાતિના લોકો પણ ચોરી કરવા નીકળતા. તેઓને એમ થાય કે આપણે ચોરી કરી એ પણ જોવા જેવી હોવી જોઈએ. ચોરી કર્યા પછી સવારે જ્યારે માણસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy