SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૬૮ વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ કારણ કે એનું (જીવનું) કાર્ય થયું છે કે નથી થયું એની પ્રતીક્ષા મૃત્યુ કરતું નથી.]. મૃત્યુની વિચારણાએ માણસને નિરાશાવાદી ન બનાવી દેવો જોઈએ. પરંતુ કરવા જેવાં બધાં ઉત્તમ કાર્યો વેળાસર કરી લેવાની પ્રેરણારૂપ એ વિચારણા હોવી જોઈએ જેથી ગમે તે ક્ષણે મૃત્યુ આવે, પોતે તો તૈયાર જ છે એમ ઉલ્લાસપૂર્વક એને લાગવું જોઈએ. વાચક ઉમાસ્વાતિ મહારાજે એટલે જ કહ્યું છેઃ सग्चिततपोधनानां नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् । [જેમણે તારૂપી ધન એકત્ર કર્યું છે, જેઓ નિરંતર વ્રત, નિયમ અને સંયમમાં ઓતપ્રોત હોય, જેઓની વૃત્તિ એટલે કે આજીવિકા નિરપરાધ એટલે કે નિર્દોષ હોય છે એવા મહાત્માઓનું મરણ ઉત્સવરૂપ છે એમ હું માનું છું.] હેમચંદ્રાચાર્ય “યોગશાસ્ત્રમાં કહ્યું છે કે મૃત્યુ આપણી બાજુમાં આવીને કાયમનું બેઠેલું છે. એ તકની રાહ જોઈ રહ્યું છે. માટે સમયસર ધર્મસંચય કરી લેવો જોઈએ. નિત્યં સંનિહિતો मृत्यु, कर्तव्यो धर्मसंचयः । ટ્રેનમાં મુસાફરી કરીએ ત્યારે સ્ટેશન આવતાં પહેલાં જેમ આપણે બેગ બિસ્તરા સાથે તેયાર રહીએ છીએ એવી રીતે મૃત્યરૂપી સ્ટેશન આવતાં પહેલાં આપણે સજ્જ રહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy