________________
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया।
કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઇએ. કેટલાક લોકોની ટેવ જ એવી હોય છે કે “પછીથી કરીશું, શી ઉતાવળ છે ?'–પરંતુ આવા લોકો જ ઊંઘતા ઝડપાઈ જાય છે. ઉભટસાગર'માં કહેવાયું છે કેઃ
करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया ।
मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् ॥ [હું ભવિષ્યમાં કરીશ, કરીશ, કરીશ' એવા વિચારમાં અને વિચારમાં હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ”—એ વાત માણસ ભૂલી જાય છે.]
અલ્પ વયમાં મૃત્યુ પામનારાઓ પણ પોતાના જીવનને સુધારી ગયા હોય, તે જ ભવે મોક્ષ પામ્યા હોય એવાં પ્રાચીન દૃષ્ટાન્તો પણ છે. એવું અકાળ મૃત્યુ ન હોય અને સામાન્ય સરેરાશ જીવન મળે તો પણ સમ્યગદર્શનાદિ માટે તો પૂરતું છે એમાં સંશય નથી. એટલા માટે જ માણસે જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઇએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ. મહાભારતના “શાન્તિપર્વ'માં કહ્યું છેઃ
श्वः कार्यमद्य कुर्वीत पूर्वाहने चापराह्निकम् । न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ।। [આવતી કાલે કરવાનું કાર્ય આજે કરી લેવું જોઇએ અને બપોર પછી કરવા ધારેલું કાર્ય સવારના કરી લેવું જોઇએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org