SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया। કરવાનું છે તે વેળાસર કરી લેવું જોઇએ. કેટલાક લોકોની ટેવ જ એવી હોય છે કે “પછીથી કરીશું, શી ઉતાવળ છે ?'–પરંતુ આવા લોકો જ ઊંઘતા ઝડપાઈ જાય છે. ઉભટસાગર'માં કહેવાયું છે કેઃ करिष्यामि करिष्यामि करिष्यामीति चिन्तया । मरिष्यामि मरिष्यामि मरिष्यामीति विस्मृतम् ॥ [હું ભવિષ્યમાં કરીશ, કરીશ, કરીશ' એવા વિચારમાં અને વિચારમાં હું મરી જઈશ, મરી જઈશ, મરી જઈશ”—એ વાત માણસ ભૂલી જાય છે.] અલ્પ વયમાં મૃત્યુ પામનારાઓ પણ પોતાના જીવનને સુધારી ગયા હોય, તે જ ભવે મોક્ષ પામ્યા હોય એવાં પ્રાચીન દૃષ્ટાન્તો પણ છે. એવું અકાળ મૃત્યુ ન હોય અને સામાન્ય સરેરાશ જીવન મળે તો પણ સમ્યગદર્શનાદિ માટે તો પૂરતું છે એમાં સંશય નથી. એટલા માટે જ માણસે જાગૃતિપૂર્વક, સમજણપૂર્વક પોતાના જીવનનું આયોજન એવી રીતે કરવું જોઇએ કે જેથી પ્રૌઢાવસ્થા કે વૃદ્ધાવસ્થામાં વસવસો કરવાનો વખત આવે નહિ. મહાભારતના “શાન્તિપર્વ'માં કહ્યું છેઃ श्वः कार्यमद्य कुर्वीत पूर्वाहने चापराह्निकम् । न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतम् ।। [આવતી કાલે કરવાનું કાર્ય આજે કરી લેવું જોઇએ અને બપોર પછી કરવા ધારેલું કાર્ય સવારના કરી લેવું જોઇએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy