________________
૨૬ ૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
રાખે છે અને પોતાના પુણ્યોદયનો સાર્થક ઉપયોગ કરી લે છે. તેની સુખ પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે.
મૃત્યુને શાપરૂપ ગણવું કે આશીર્વાદરૂપ ? વ્યવહારદૃષ્ટિએ, સંસારપ્રિય જીવોને મૃત્યુ શાપરૂપ લાગે છે. નિશ્ચયદૃષ્ટિએ, તત્ત્વદૃષ્ટિ ધરાવનારા અધ્યાત્મસાધકોને મૃત્યુ આશીર્વાદરૂપ લાગે છે.
મૃત્યુ બધાંનો અંત આણે છે, પરંતુ મૃત્યુનું પોતાનું મૃત્યુ ક્યારેય નથી. મૃત્યુ શાશ્વત છે, એટલું જ નહિ, જોવાની દૃષ્ટિ હોય તો મૃત્યુ મંગળકારી છે. મૃત્યુ છે તો અનેક જીવોની પારમાર્થિક દષ્ટિ ખૂલે છે. એટલે જ જ્ઞાની મહાત્માઓને મૃત્યુનો ડર હોતો નથી. “ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવાયું છેઃ
न संतसंति मरणंते शीलवंता वहुस्सुया । | [શીલવંત અને બહુશ્રુત મહાત્માઓ મૃત્યુના સમયે ભયભીત થતા નથી.]
મૃત્યુનું સ્વરૂપ સમજાતાં જીવનને એવી રીતે સુધારી લેવું જોઈએ કે જેથી મૃત્યુની પરંપરા આપણે માટે અલ્પકાળની બની જાય અને મોક્ષગતિનું શાશ્વત સુખ ઓછા ભાવોમાં પામી શકાય. એટલે જ જ્ઞાની મહાત્માઓ એવા મૃત્યુને ઈચ્છે છે કે જે પછી બીજું મૃત્યુ હોતું નથી. મોક્ષ થતાં એમને માટે મૃત્યુનો પણ અંત આવી જાય છે.
જો મૃત્યુ નિશ્ચિત જ છે અને મોડું વહેલું ગમે ત્યારે આવવાનું છે એટલું સમજાય તો માણસે પોતે જે કર્તવ્ય, ધર્મકાર્ય ઇત્યાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org