________________
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया।
૨ ૬૫
પોતાના મૃત્યુનો ડર બહુ રહેતો નથી. જિંદગી સુખચેનથી જીવવાનાં સ્વપ્નાં તે સેવે છે. માણસ અનેકને મરતા, યમાલયમાં દાખલ થતાં-નિત્યં યાનિ યમનિ-જુએ છે છતાં પોતાનો વારો આવવાનો નથી એમ વર્તે છે, એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે એમ “યક્ષપ્રશ્નોત્તરમાં બતાવ્યું છે.
મૃત્યુ આવે ત્યારે એક ક્ષણ માત્રમાં પોતાનાં ઘરબાર, ચીજવસ્તુઓ, સંબંધીઓ, સ્વજનો બધાંની સાથે સંબંધ પૂરો થઈ જાય છે. જિંદગીભર સંઘરેલી, જીવની જેમ સાચવેલી પોતાની અત્યંત પ્રિય ચીજ વસ્તુઓ પોતાની રહેતી નથી.
માણસે માલમિલકત, રિદ્ધિસિદ્ધિ, સગાંસંબંધીઓ, યશકીર્તિ, માનસન્માન, લબ્ધિઓ ઇત્યાદિ સર્વ અહીં જ મૂકીને જવાનું છે. માણસ જન્મથી જ બધી વાતે અત્યંત સુખી હોય તો પણ બધું સુખ મૂકીને એણે ચાલી નીકળવું પડે છે. મૃત્યુ કોઇની પણ વાટ જોવામાં માનતું નથી. મૃત્યુ ગરીબ-તવંગર, નાના-મોટા, સુખી-દુઃખી એવો કોઈ ભેદ રાખતું નથી.
મૃત્યુથી ભૌતિક સુખનો જ અંત આવે છે એવું નથી, દુઃખો, કષ્ટો વગેરેનો પણ અંત આવે છે. ક્યારેક તો મૃત્યુ દુ:ખમાંથી છુટકારારૂપ નીવડે છે. લોકો બોલે છે, “બિચારા છૂટ્યા, સારું થયું. બહુ રિબાતા હતા.” જીવને જો મૃત્યુનું સ્વરૂપ સમજાય તો કષ્ટ કે ઘોર દુ:ખોમાં આર્તધ્યાન, રૌદ્રધ્યાન થતાં નથી, સમતા રહે છે અને પાપના ભારે અનુબંધો પડતા નથી. મૃત્યુના વિચારો થતાં સુખમાં પણ માણસ છકી જતો નથી. તે સમભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org