________________
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
થાય છે એવું પણ નથી. કોઈ બાલ્યકાળમાં, કોઈક યોવનમાં તો કોઈક વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. વિષ્ણુપુરાણમાં કહ્યું
जातमात्रश्च म्रियते वालभावेऽथ यौवने ।
मध्यमं वा वयः प्राप्य वार्धके वा ध्रुवा मृतिः ॥ [કોઈ જન્મ પામીને તરત મૃત્યુ પામે છે, કોઈ બાળપણમાં અને કોઈ યોવનમાં મૃત્યુ પામે છે, કોઈ મધ્યમ વય પામીને અથવા કોઈ વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામે છે. પરંતુ મૃત્યુ દરેકનું નિશ્ચિત છે.]
જીવની પોતાના દેહ સાથે એવી એકત્વબુદ્ધિ થઈ જાય છે અને એનો એવી રીતે જીવનવ્યવહાર ચાલે છે કે જાણે મૃત્યુ ક્યારેય આવવાનું નથી. પરંતુ મૃત્યુ સામેથી દેખાય, પોતે હવે થોડા દિવસના જ મહેમાન છે એમ સ્પષ્ટ ભાસે ત્યારે ભલભલા માણસો ધ્રૂજી જાય છે. એટલે જ સાત પ્રકારના જે ભય બતાવવામાં આવ્યા છે તેમાં મોટામાં મોટો ભય મૃત્યુનો છે. કહ્યું છે : નરપતિ નત્યેિ ભયે ! એટલે જ મનુષ્યો, પશુપક્ષીઓ વગેરે બધા જ જીવો જીવ બચાવવા ભાગે છે.
મૃત્યુ સુનિશ્ચિતપણે આવવાનું જ છે અને એક દિવસ પોતે આ દુનિયામાં નહિ હોય એમ જાણવા છતાં એકંદરે માણસને પોતાના મૃત્યુની વાત સતાવતી નથી. જાણે કે પોતાનું ક્યારેય મૃત્યુ થવાનું નથી એમ સમજીને તે પોતાનો બધો વ્યવહાર કરતો રહે છે. સામાન્ય માણસને જીવનના આરંભનાં વર્ષોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org