________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
काली पव्वंग संकासे, किसे धमणिसंतए । मायपणे असण- पाणस्स अदीणमणसो चरे ।। શરીર કૃશ એટલે દુબળું-પાતળું થઈ ગયું હોય, આખા શરીરની નસો દેખાતી હોય, ધમણની માફક શ્વાસોચ્છવાસ ચાલતા હોય, અંગો કાગડાની જાંઘ જેવાં થઈ ગયાં હોય છતાં આહાર પાણીની મર્યાદાને જાણવાવાળો સાધુ મનમાં દીનતાનો ભાવ ન લાવે, અદીનભાવથી વિચરે.
કોઈ માણસે તપશ્ચર્યા કરી હોય ત્યારે પોતે આહારનો સ્વેચ્છાએ ત્યાગ કર્યો હોય છે. એટલે પોતાને ખાવાનું મળી શકે એમ હોવા છતાં ખાવું નથી એ ભાવ રહે છે. એમાં પ્રસન્નતા ટકાવી રાખવી જોઈએ. એ અઘરી નથી. પરંતુ તપશ્ચર્યા ન કરી હોય અને કકડીને ભૂખ લાગી હોય, શરીર અશક્ત થઈ ગયું હોય તે વખતે ખાવાનું ન મળે તો દીનતાનો ભાવ આવે. ત્યારે ભૂખથી માણસ પરાભવ પામે છે અને ખાવાનું મળે તો પોતે રાજી રાજી થઈ જાય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં આહારપાણી ન મળે તો પણ સંયમી સાધકોએ પ્રસન્નતા રાખવી જોઈએ. દીનતા ન બતાવવી જોઈએ. કેટલાક તો એવા અજાચક વ્રતધારી હોય છે કે જેઓ પોતાની જરૂરિયાતની વસ્તુ માટે સામેથી ન કહે, ન માંગે, પણ પ્રેમથી ચલાવી લે.
૨૭૦
સાધુ ભગવંતોને પોતાના સત્ત્વની કસોટી કરે એવી એક વાત તે ગોચરી વહોરવાની છે. કોઈ ઘરે વહોરવા જાય અને કશું વહોર્યા વગર પાછા ફરવું પડે ત્યારે પોતાના ચિત્તની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org