________________
अदीणमणसो चरे।
૨ ૭૧
દશાને તપાસી જોવા જેવી છે. જે ગ્રામનગરમાં ઘણાં ઘરો હોય ત્યાં તો મનમાં એમ થાય કે એક નહિ તો બીજે ઘરેથી ગોચરી વહોરવાની મળી રહેશે. પણ જ્યાં નાના ગામમાં કે મોટા શહેરના અમુક વિસ્તારમાં ઓછાં ઘર હોય ત્યારે સૂઝતો આહાર ન મળે તો મનમાં દીનતા ન આવવા દેવી જોઈએ. વળી જ્યાં ગોચરી વહોરવા જાય અને આદરસત્કાર ન મળે અથવા ઘરના સભ્યોનો ગોચરી વહોરાવવા માટે કોઈ ઉત્સાહ ન જોવા મળે ત્યારે પોતાના મનના ભાવ ન બગડવા જોઈએ.
સંયમી શ્રમણો માટે અહીં ભૂખ અને આહારની વાત કરવામાં આવી છે. શ્રમણો ઉપરાંત શ્રાવકોના, તમામ મનુષ્યોના જીવનમાં દીનતાના પ્રસંગો આવે છે. માત્ર આહાર જ નહિ, બીજી અનેક બાબતો માણસને દીન બનાવી દે છે. ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટનો સંયોગ માણસ પાસે દીન વચનો ઉચ્ચાવરાવે છે. એટલા માટે જ કહેવાયું છે કે ન વિજ્ઞા લાયં માણસે દીનતાનો વિચાર ન કરવો જોઈએ, મનમાં એવો ભાવ ન લાવવો જોઈએ. દીનતા છોડીને આધ્યાત્મિક સંપત્તિવાન થવાનું ધ્યેય જેઓ રાખે છે તેઓના જીવનમાં ત્યાગ, વૈરાગ્ય આવ્યા વિના રહેતાં નથી. જેટલી વસ્તુઓના મોજશોખ હોય એટલી તે મેળવવા માટેની ઝંખના રહે. તે માટે કમાવાનો પુરુષાર્થ કરવાની પરાધીનતા રહે અને પરાધીનતા એટલે દીનતા. એટલે જ જૈન મુનિઓ પાસે ઓછામાં ઓછાં ઉપકરણો, જીવનનિર્વાહ માટેનાં બાહ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org