________________
कडाण कम्माण ण मोक्ख अस्थि ।
૩૫૧
આ ઘટનાની મુંબઈમાં સમાજ જીવનમાં ઘણી ચકચાર થઈ. પોલીસ કેસ થતાં છાપાંઓમાં ઘણી વિગતો આવી. વળી પડોશીઓ દ્વારા વધુ વિગતો બહાર આવી. પુત્ર તથા પુત્રવધૂને સમાજમાં ક્યાંય મોઢું બતાવવા જેવું રહ્યું નહિ. તેમની સામે પોલીસ કેસ થયો. અદાલતમાં કેસ ચાલ્યો. બન્નેને સજા થવાનો પૂરો સંભવ હતો. પુત્ર, પુત્રવધૂ અને તેમની યુવાન દીકરી. ત્રણે થનારી સજાથી એકદમ ભયભીત થઈ ગયાં. તેમને લાગ્યું કે જેલજીવન ભોગવવા કરતાં જીવનનો અંત લાવવો સારો. એટલે તેમણે ત્રણેએ પોતાના ફ્લેટની બારીમાંથી પડતું મૂકીને આપઘાત કર્યો.
માતાપિતાના આપઘાતની ઘટના જેવી રીતે બની તેવી જ રીતે આ ત્રણેના આપઘાતની ઘટના બની. જે રીતે માતાપિતાએ માનસિક સંતાપને કારણે આત્મહત્યા કરી જાણે કે તેના જ ફળસ્વરૂપે તેમને સંતાપ આપનારાઓને પણ આત્મહત્યા કરવી પડી. તેમણે ઝેર લઈને આપઘાત કરવાને બદલે બારીમાંથી પડતું મૂકીને આત્મહત્યા કરી. પાપકર્મનો ઉદય ક્યારેક એવી રીતે આવે છે કે જીવને પોતાનાં જે કર્મો ભોગવવા પડે છે તેમાં પણ આગલી ઘટનાનું જ પુનરાવર્તન થાય છે.
ઘણાં વર્ષો પહેલાં મુંબઈમાં એક ચાલીમાં અમે રહેતા હતા ત્યારે બનેલી એક વિલક્ષણ ઘટના યાદ રહી છે. ચાલીની એક ઓરડીમાં એક વિધવા માતા, એમનો દીકરો અને વહુ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org