________________
૩૧ कडाण कम्माण ण मोक्ख अस्थि ।
[કરેલાં કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી.] આ સંસારમાં કોઈ પણ જીવને પોતાનાં શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવાનાં આવે છે. ક્યારેક તે આ ભવમાં તો ક્યારેક ભવાન્તરમાં. ક્યારેક તો વળી એવા જ ક્રમે ભોગવવા પડે છે.
કેટલાક વખત પહેલાં જવલ્લે જ બને એવી એક વિલક્ષણ અને વિચિત્ર ઘટના મુંબઈમાં બની હતી. એક બહુમાળી મકાનની ઊંચી બારીએથી વૃદ્ધ પતિપત્નીએ પડતું મૂકીને આપઘાત કર્યો હતો. એમ જાણવામાં આવ્યું હતું કે પિતાપુત્ર વચ્ચે સંપત્તિના ઝઘડા એટલી ઉગ્ર કોટિએ પહોંચ્યા કે પુત્ર પોતાનાં માતાપિતાને ફ્લેટના એક રૂમમાં પૂરી રાખ્યાં. પુત્રના આ કાર્યમાં એની પત્ની અને પુત્રીનો પણ પૂરો સહકાર હતો. તેઓ વૃદ્ધ વડીલ માતાપિતાને નહી જેવું ખાવાનું આપતા અને માનસિક ત્રાસ આપતા. રૂમમાં ન્હાવા વગેરેની સગવડ નહોતી. આથી માતાપિતાનો માનસિક સંતાપ દિવસે દિવસે એટલો બધો વધી ગયો કે તેઓ બન્નેએ નિશ્ચય કરીને એક દિવસ બારીમાંથી પડતું મૂક્યું. એમ કહેવાય છે કે તેઓ બન્નેએ એકબીજાના હાથ જોરથી પકડી રાખ્યા હતા કે જેથી બેમાંથી કોઈ પણ એક હિમ્મત હારી ન જાય. પડતાં જ તેઓ મૃત્યુ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org