________________
सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ ।
३४४
માટે પોતાના કરતાં વધુ શક્તિશાળી માણસોના સમાગમમાં સહેતુક આવતા નથી. એવો પ્રસંગ આવી પડવાનો હોય તો તેને તેઓ ચતુરાઈપૂર્વક ટાળે છે.
માણસની શારીરિક શક્તિ જીવનના અંત સુધી એક સરખી રહેતી નથી. બાલ્યકાળ અને કિશોરકાળ પછી યૌવનકાળમાં એની શરીરસંપત્તિ ઉત્કૃષ્ટ કોટિની હોય છે, પણ પછી વૃદ્ધાવસ્થા આવતાં એ શક્તિ કરમાવા લાગે છે. ક્યારેક માણસ શક્તિહીન બને છે. એવરેસ્ટનું આરોહણ કરનાર તેનસિંગ વૃદ્ધાવસ્થામાં હૃદયરોગના હુમલા પછી ડગલું પણ માંડી શકતો નહોતો. બાણાવળી બહાદુર અર્જુનને જંગલમાં કાબાએ લૂંટી લીધો હતો. એટલે જ કહેવત પડી છે કેકાબે અર્જુન લૂંટિયો, વો હી ધનુષ્ય, વો હી બાણ. માણસે પોતાની શક્તિઓમાં દઢ આત્મવિશ્વાસ અવશ્ય રાખવો જોઇએ, પરંતુ મિથ્યાભિમાનની કોટિ સુધીનો વધુ પડતો આત્મવિશ્વાસ એને હરાવી દે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org