________________
૨૮૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
નથી થતાં. આરોગ્યની વાત તો ખરી જ, પણ સંયમની આરાધના માટે, ધર્મક્રિયાઓ માટે ઉણોદરી વ્રત આવશ્યક મનાયું છે. ઉણોદરી વ્રત ઉપરાંત વૃત્તિસંક્ષેપ વ્રત પણ લેવાય છે, જેમાં નિશ્ચિત કરેલી સંખ્યામાં અમુક જ વાનગીઓ લેવાની હોય છે. રસલાલસા ન થાય એ માટે આવાં આવાં વ્રતો છે.
જૈન સાધુઓએ (“સાધુ” શબ્દમાં સાધ્વી આવી જાય છે.) સામાન્ય રીતે દિવસમાં એક વખત જ આહારપાણી લેવાં જોઇએ. દિગંબર મહાત્માઓ એક જ વખત ઊભા ઊભા આહારદાન સ્વીકારે છે. તેઓ ઠામચોવિહાર કરતા હોય છે. જે યુવાન મુનિઓ સ્વાધ્યાય વગેરે કરતા હોય, જેમનું સ્વાસ્થ બરાબર ન રહેતું હોય અથવા એક વખતના આહારથી ચાલતું ન હોય તેઓ બે વખત આહાર લે છે. સામાન્ય રીતે સાધુઓએ સવારના નવકારશીના સમયનાં ચાપાણી, દૂધ ઇત્યાદિ પણ ન લેવાં જોઇએ. જો કે એનો ચુસ્ત આગ્રહ નથી. અલબત્ત, સાધુઓ છૂટે મોંઢે આખો દિવસ કંઈક ને કંઈક ખાતા હોય એવું તો ન જ બનવું જોઇએ. બનતું પણ નથી. કહ્યું છે કે
जा य लज्जासमावित्ती एगभत्तं च भोयणं । (સંયમાનુકૂળ જીવન માટે દિવસમાં એક વાર ભોજન હિતકારી છે.)
કહેવાય છે કે “સપુરુષના તુચ્છ (અલ્પ) આહાર.” આહાર સંયમની આરાધના માટે છે. એક વખત જીવનની દિશા બદલાય છે, સાધના તરફ લક્ષ જાય છે, આત્મસ્વરૂપની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org