SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ णाइमत्त पाण भोयण भोड़ से निग्गंथे । રમણતામાં રસ પડે છે, પછી ભોજનનો રસ અનુક્રમે છૂટી જાય છે. કોઈ સાધુ મહારાજને ડાયેટિંગ ક૨વાની જરૂર ન હોય. કારણ કે એમનું શરીર જ એવું એકવડું હોય. હૃષ્ટપુષ્ટ, તગડા, ખાધેપીધે ખબરદાર ભોજનના સિયા એવા સાધુ મહારાજ જૈન ધર્મમાં ન શોભે. એકંદરે એવા જોવા પણ નહિ મળે. (સિવાય કે જન્મથી એવો બાંધો હોય કે એવા પ્રકારનો રોગ થયો હોય.) રાત્રિ દરમ્યાન એટલે કે સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય સુધી જીવનપર્યંત જેઓને ભોજન અને પાણી એટલે ચારે પ્રકારના આહારનો ત્યાગ હોય એવા જૈન સાધુ જેવા સાધુ દુનિયાના અન્ય કોઈ ધર્મમાં જોવા નહિ મળે. (કોઈ વ્યક્તિગત રૂપે કરે તે જુદી વાત છે.) અનેક શ્રાવકો પણ આવું વ્રત ધરાવતા હોય છે. ૨૮૯ સાધુઓ જે ગોચરી વહોરી લાવ્યા હોય તે પોતાના વડાને બતાવ્યાં પછી જ વા૫૨વાની હોય છે. સાધુથી ખાનગીમાં કશું વહોરી લાવીને ખવાય નહિ. સાધુઓએ ગોચરીના બેતાલીસ પ્રકારના દોષો અને માંડલીના પાંચ પ્રકારના દોષોથી મુક્ત રહેવું જોઇએ. ૧૬ પ્રકારના ઉદ્ગમ દોષો, ૧૬ પ્રકારના ઉત્પાદના દોષો, ૧૦ પ્રકારના એષણા દોષો અને પાંચ પ્રકારના માંડલીના દોષોની વિગતે છણાવટ શ્રી મહાનિશીથસૂત્ર તથા અન્ય શાસ્ત્રગ્રંથોમાં થયેલી છે. મુનિઓને માટે શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy