________________
नातिवेलं हसे मुणी
કાવ્યનિરૂપણની દૃષ્ટિએ એ રસને એવું મહત્ત્વનું સ્થાન આપવામાં આવે તેમાં કશું અયોગ્ય નથી. પણ આ છ કે નવ રસમાં હાસ્યને ગૌણ સ્થાન આપવામાં આવ્યું છે એ ભૂલવું ન જોઈએ. એટલે હાસ્ય જીવનનો સર્વોપરી રસ નથી. હાસ્યરસ તે રસનો રાજા નથી. જો ગૃહસ્થ જીવનમાં હાસ્યને બહુ મહત્ત્વ ન આપવામાં આવ્યું હોય તો સાધુજીવનમાં, ધર્મના ક્ષેત્રે, એને વધુ મહત્ત્વ ન અપાય એ દેખીતું અને સમજી શકાય એવું છે. માત્ર જૈન ધર્મમાં જ નહિ, અન્ય ધર્મમાં પણ મજાક-મશ્કરી કરી બીજાને હસાવનાર સાધુ-સંન્યાસીઓ, જોગીઓને બગડવાનાં ભયસ્થાન રહે છે એમ કહેવાયું છે. એક રાજસ્થાની લોકોકિત છે કે :
શાહ તો ઝઘડે સે બિગડે, ઠાકર વ્યાજડિયો; ઘર ઘર ફિરતી નાર બિગડે, બિગડે જોગી હાસડિયો. ધર્મને અને હાસ્યરસને સંબંધ નથી એવી એક માન્યતા સર્વાંશે ખોટી નથી. ધર્મના ક્ષેત્રે શુદ્ધ, નિર્દોષ હાસ્યરસને અવશ્ય સ્થાન છે, પરંતુ ક્ષુલ્લક, શુદ્ર હાસ્યરસને, રસાભાસને બિલકુલ સ્થાન નથી, કારણ કે ધર્મનો વિષય જ જીવનને ઉચ્ચતર ધ્યેય તરફ લઈ જવાનો છે. જીવનને અવનતિ તરફ લઈ જવાનું કાર્ય ધર્મનું નથી. સ્થૂલ હાસ્યરસ જીવનને અવનતિ તરફ લઈ જઈ શકે છે. એટલે જ પ્રાચીન પ્રશિષ્ટ ધર્મગ્રંથોમાં હાસ્યરસનું નિરૂપણ નહિ જેવું જ છે. એમ કહેવાય છે કે બાઇબલમાં હાસ્યરસનું એક પણ વાક્ય નથી. એક લેખકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org