________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
માંસપેશીઓ સાથે હાસ્ય સંકળાયેલું છે. ત્યાં ગલગલિયાં કરતાં માણસ હસી પડે છે.
૮૪
હાસ્યનો વિષય એક રીતે જોઈએ તો કુદરતી બક્ષિસ જેવો છે. બીજાને સારી રીતે, નિર્દોષ હાસ્ય દ્વારા હસાવવાની શક્તિ બહુ જ થોડા માણસોમાં હોય છે. કેટલાક લોકો હાસ્યને માણી શકે છે, પરંતુ પોતે કોઈને હસાવી શકતા નથી. કેટલાક લોકો બીજાને હસાવી શકે છે અને પોતે પણ બીજાના હાસ્યને સારી રીતે માણી શકે છે.
કેટલાક માણસની પ્રકૃતિ જ એટલી બધી ગંભીર હોય છે કે હસવાની સારી સરસ વાત ચાલતી હોય તો પણ તેઓ તેને માણી શકતા નથી અને હસી શકતા નથી. કેટલાકને બીજાની વાતમાં રહેલા હાસ્યના સૂરને પકડવાની સૂઝ હોતી નથી. સુધારકયુગના નર્મમર્મના લેખક, કવિ-વિવેચક નવલરામે કવિ નર્મદને એક પ્રસંગે કહ્યું હતું કે, ‘કવિ, તમારામાં હાસ્યનું શાસ્ત્ર જ નથી.' કવિ નર્મદ પ્રકૃતિએ એટલો બધો ગંભીર હતો કે બીજાની વાતમાં રહેલા હાસ્યને તે સમજી શકતો નહોતો. હસવાનું તેને બહુ ગમતું પણ નહિ. તેનું જીવનઘડતર જ એ રીતે થયું હતું.
કવિતાકલામાં જે છ અથવા નવ રસ બતાવવામાં આવ્યા છે તેમાં શૃંગાર, વીર અને કરુણ એ ત્રણને મુખ્ય રસ તરીકે ગણાવવામાં આવ્યા છે. તેમાં પણ શૃંગારને રસના રાજા તરીકે ઓળખાવવામાં આવ્યો છે. વ્યવહારુ લોકજીવનની દૃષ્ટિએ તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org