________________
नातिवेलं हसे मुणी
નથી કરતા.
જૈન સાધુઓના આચાર ઘણા જ કડક છે. સાધુઓનું જીવન ત્યાગમય અને સંયમપ્રધાન હોવું જોઈએ. એટલા માટે સાધુઓએ ક્યારે, કેવી રીતે, કોની સાથે, કેટલું બોલવું જોઈએ તે અંગે ભગવાન મહાવીરે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું
| હાસ્ય એ જીવનનું કુદરતી લક્ષણ છે. હસવાની શક્તિ બધા જીવોમાં નથી હોતી. દશ્યમાન જીવસૃષ્ટિમાં એક ફક્ત મનુષ્ય જ એવો છે કે જે હસી શકે છે. કેટલાંક પ્રાણીઓ રડે છે, પણ હસી શકતાં નથી. વાનર દાંતિયા કરી શકે છે, પણ મનુષ્ય જેવું હસી શકતો નથી. એટલે જ કહેવાયું છે કે Man is a laughing animal. બાળક જન્મે છે કે તરત જ તે રડે છે. ના રડે તો એ ચિંતાનો વિષય ગણાય છે. તેને પરાણે રડાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. પરંતુ હસવાનું બાળક ક્રમે મે પોતાની મેળે શીખે છે. અભણ, જંગલી માણસ પણ હસી શકે છે, કારણ કે હાસ્યવૃત્તિ કુદરતી છે.
હાસ્ય આરોગ્યની દૃષ્ટિએ ઉપકારક છે. હસવાથી શરીરની વધુ માંસપેશીઓને વ્યાયામ મળે છે અને આરોગ્ય માટે ઉપકારક એવાં રસાયણો તે દ્રવે છે. વ્યાવહારિક જીવનની દૃષ્ટિએ હાસ્ય એ જીવનનું અનિવાર્ય અંગ છે. તે તંગદિલી–Tension-ને નિવારે છે. યોગ્ય રીતે એનો ઉપયોગ થાય તો તે જીવનનું ભૂષણ બની શકે છે. કેટલીક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org