________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
કરે), તેમજ મર્યાદાનું ઉલ્લંઘન કરીને હસે નહિ.] સાધુઓનું પોતાનું ગૌરવ સચવાય એ માટે ભગવાન મહાવીરે આ ગાથામાં જે ત્રણ ભલામણ કરી છે એમાં હસવાની વાત પણ ઉમેરી લેવામાં આવી છે. અહીં આપણે એ વિશે થોડો વિચાર કરીશું. કોઈકને કદાચ પ્રશ્ન થાય કે શું સાધુઓએ હસીને વાત કરવી જ ન જોઇએ ? ના, એવું નથી. સાધુને હસવાની મનાઈ ફરમાવવામાં આવી નથી, પરંતુ સાધુઓને હાસ્યની અતિશયતાને છોડવાની ભલામણ કરવામાં આવી છે. સાધુઓએ મોટેથી ઘણા બધા સાંભળે એમ ખડખડાટ હસવું ન જોઈએ અને એમનું હસવાનું પણ વધુ સમય સુધી ચાલવું ન જોઈએ.
આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે :
सव्वं हासं परिच्चज्ज अल्लीणगुत्तो परिव्वए । [સર્વ પ્રકારનું હાસ્ય છોડીને સાધક ગુપ્તિપૂર્વક વિચરે.] દસવૈકાલિક સૂત્રમાં પણ કહ્યું છેઃ
સપ્પજ્ઞાસું વિવપ્નદ્ । (અતિહાસ્યનો ત્યાગ કરવો.) શ્રી ધર્મદાસગણિએ ઉપદેશમાળામાં કહ્યું છેઃ
अट्टहासकेलि किलत्तणं हासखिडु जमगरुई । कंदप्प उवहसणं परस्स न करंति अणगारा ।। અટ્ટહાસ્ય, રમતથી બીજાને ભોંઠા પાડવું, ભાંડભવૈયા જેવા ચાળા કરવા, યમકાદિ કાવ્યો (ઉખાણાં વગેરે) જેથી વિષયરાગ વધે, કામવશ મજાક, બીજાનો ઉપહાસ ઇત્યાદિ હાસ્ય સાધુઓ
૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org