________________
૨૮૨
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પછી થોડીવારે બધાને બીજી વાર આઇસ્ક્રીમ આપવામાં આવ્યો. પેલી બાળકીએ તે લેવાની ના પાડી. યજમાન બહેને આગ્રહ કર્યો તો પણ ન લીધો, એટલે બહેને એને કારણ પૂછ્યું. બાળકીએ કહ્યું, “મારી મમ્મીએ મારી પાસે પ્રોમિસ લીધું છે કે હું બીજી વાર આઇસ્ક્રીમ નહિ માગું. આપશે તો પણ નહિ લઉં. મેં મમ્મીને પ્રોમિસ આપ્યું છે.”
યજમાન બહેને કહ્યું. “તારી મમ્મીએ આવું પ્રોમિસ ન લેવું જોઈએ ?' ત્યારે બાળકી બોલી, “પણ મમ્મીને થોડી ખબર છે કે અહીં પહેલી વારમાં જ કેટલો ઓછો આઇસ્ક્રીમ આપ્યો છે ?'
નાની બાળકીએ નિર્દોષતાથી વ્યક્ત કરેલો અસંતોષનો ભાવ મોટા માણસો પણ સભાનપણે વ્યક્ત કર્યા વગર રહી શકતા નથી.
બીજી બાજુ જે માણસોનો અભિગમ જે મળ્યું તે માણવાનો હોય છે તેઓ પોતાના એટલા સમયને સાર્થક કરે છે. જીવન જીવવાની એ એક કળા છે. દરેક પરિસ્થિતિમાં તેઓ રાજી રાજી હોય છે. હાસ્ય, પ્રસન્નતા, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહ, વિનોદ ઇત્યાદિથી તેમનું જીવન છલોછલ ભરેલું રહે છે. પોતાને ઓછું મળ્યું છે એવી સભાનતા પણ તેઓ રાખતા નથી અને તેમને રહેતી પણ નથી. પોતાની યોગ્યતા કે ધારણા કરતાં પોતાને ઘણું બધું મળ્યું છે એવો આશાવાદ એમના જીવનમાં વણાઈ ગયો હોય છે. ક્યાંય ફરિયાદ કરવાનું તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org