________________
थोवं लधुं न खिंसऐ ।
પ્રયોજન જણાતું નથી.
પોતાને થોડું મળ્યું હોય, પણ પોતાના સ્વજન, સાથીદાર કે આશ્રિતને કશું જ ન મળ્યું હોય અથવા વધારે મળ્યું હોય ત્યારે માણસની કસોટી થાય છે. થોડામાંથી પણ થોડું બીજાને આપવાની ઇચ્છા મનની ઉદારતા અને ત્યાગની ભાવના વગર સંભવી ન શકે. અન્યને અધિક મળ્યું હોય ત્યારે ઇર્ષ્યા, પડાવી લેવાની વૃત્તિ ઇત્યાદિ પોતાનામાં જન્મે છે કે નહિ તેના આધારે તેના સત્ત્વની કસોટી થાય છે.
આમ જોવા જઈએ તો માણસની તૃષ્ણા, વાસના; ઇચ્છાઓનો કોઈ અંત નથી. ધન, સત્તા, ભોગોપભોગની સામગ્રી, કીર્તિ ઇત્યાદિ માટેની એની ભૂખ સદૈવ સતત પ્રદીપ્ત રહે છે. ગમે તેટલું મળે તો પણ ઓછું પડે. ભગવાન મહાવીરે કહ્યું છે કે દૃચ્છાનો આITHસમા અનંતિયા । ઇચ્છાઓ આકાશની જેમ અનંત છે. આકાશનો છેડો નથી તેમ ઇચ્છાઓનો છેડો નથી. એક ઇચ્છા પરિપૂર્ણ થાય ત્યાં બીજી જાગી જ હોય. માણસની વૃત્તિઓ આવી હોય તો, જ્યારે પોતાની અપેક્ષા કરતાં, અધિકારપૂર્વક મળવું જોઇએ તે કરતાં ઓછું મળ્યું હોય ત્યારે માણસ બેચેન થયા વગર રહેતો નથી.
૨૮૩
જેણે થોડાથી સંતોષ માનવો હોય તેણે પોતાની ઇચ્છાઓ ઉપ૨ સંયમ મેળવવો જોઇએ. જ્યારે જ્યારે જે જે ઇચ્છા થાય તે સંતોષવાનો પ્રયત્ન કરવા કરતાં તેના ઉપર કાબુ મેળવી, તેવી ઇચ્છાઓ ક્રમે ક્રમે ઓછી કરવાથી આત્મબળ ખીલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org