________________
૨ ૮૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પોતાની ઇચ્છાઓ અતૃપ્ત રહે છે એ પ્રકારની સભાનતા કે એ માટેનું દુઃખ કે કષ્ટ પછી નથી રહેતું. પોતે કેટલા શક્તિમાન છે કે આવી નાની મોટી ઇચ્છાઓને સ્વેચ્છાએ જતી કરી શકે છે એ પ્રકારની શ્રદ્ધાપૂર્વકની પ્રસન્નતા હોવી જોઇએ.એથી આગળ જતાં તો ઇચ્છો જન્મ જ નહિ એ સ્થિતિ સુધી પહોંચી જઈ શકાય છે. વારંવાર નિસ્પૃહ રહેવાના મહાવરાથી આવી સ્થિતિ પ્રાપ્ત થાય.
પોતાને ઓછું મળ્યું હોય ત્યારે વાસ્તવિકતાનો સહર્ષ, સસ્મિત સ્વીકાર એ જીવન જીવવાની એક શ્રેષ્ઠ ચાવી છે. એવી વ્યક્તિ દ્વારા નિરાશા, વિસંવાદ કે સંઘર્ષનાં આંદોલનો ઉદ્ભવતાં નથી.
માણસ એમ જો વિચારતો થઈ જાય કે પોતાને જે ઓછું મળ્યું છે તેની પાછળ કોઇક કારણ તો હોવું જ જોઇએ. મનની ઉદારતા અને તત્ત્વની શ્રદ્ધા વગર એવું કારણ સમજવાનો પ્રામાણિક પ્રયત્ન શક્ય નથી. આ જગતમાં જે કંઈ બને છે અને બની રહ્યું છે તેમાં કોઇક નિયમ રહેલો છે. વિશ્વના એ નિયમમાં પોતાને હસ્તક્ષેપ કરવો નથી તથા કરવો એ વ્યર્થ છે એવી તાત્વિક સમજણ પ્રાપ્ત થાય અને પોતપોતાના કર્માનુસાર દરેક જીવ પ્રાપ્ત કરે છે અને ભોગવે છે તથા પોતાના લાભાન્તરાય કર્મના ઉદય વગર ઓછું મળે નહિ એવી શ્રદ્ધા રહે તો ઘણી નિરાશામાંથી બચી જવાય. થોડામાં સંતોષ માનવો એનો અર્થ એ નથી કે માણસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org