________________
थोवं लधुं न खिंसऐ।
૨૮૫
સરસતાનો અને સંપૂર્ણતાનો આગ્રહ ન રાખવો જોઇએ. વ્યવહારિક જીવનમાં જ્યાં એની જરૂર હોય ત્યાં માણસ જો એવો આગ્રહ ન રાખે તો તે પુરુષાર્થહીન અને પ્રમાદી બની જવાનો ડર રહે છે. જ્યાં અલ્પસંતુષ્ટ ન થવાનું હોય ત્યાં અસંતુષ્ટતા દોષરૂપ ગણાય. અધ્યાત્મસાધનામાં પણ અલ્પસંતુષ્ટતાથી પ્રગતિ ન થાય. પૂર્ણતા તરફનો પુરુષાર્થ જ મોટું ફળ આપી શકે.
જેઓ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરવાવાળા છે તેઓ તો ઇચ્છા ઉપરના સંયમ અને ઇચ્છાનિરોધથી આગળ વધી નિરીકતાના તબક્કે પહોંચવાનો પુરુષાર્થ કરે છે. સામાજિક કક્ષાએ પ્રાપ્તિ કે અલ્પપ્રાપ્તિ અંગે ગમે તે અભિગમ હોય, આધ્યાત્મિક કક્ષાએ તો ભગવાન મહાવીરે કહ્યું છે કે છંટું નિરા મો+ઉં ઇચ્છાઓના નિરોધથી જ અર્થાત્ નિરીકતાથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org