________________
૨૫
णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। [જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિર્ગળ (સાધુ) છે. ]
ભગવાન મહાવીર સ્વામીએ “આચારાંગસૂત્ર”, “ઉત્તરાધ્યયન સૂત્ર', “દસર્વકાલિક સૂત્ર' વગેરેમાં ઠેર ઠેર નિગ્રંથ મુનિ જેન સાધુનાં વિવિધ પ્રકારનાં જે લક્ષણો દર્શાવ્યાં છે એમાં એમનાં ભાત પાણી–આહારની પણ વિગતે વિચારણા કરવામાં આવી છે.
સમગ્ર સંસારમાં સર્વ જીવોને આહારસંજ્ઞા અનાદિ કાળથી વળગેલી છે. જીવો પોતાની આ સંજ્ઞાને રસથી પોષે છે અને વિકસાવે છે. જગતમાં નવાણુ ટકાથી વધુ મનુષ્યો પોતાની આ આહારસંજ્ઞાથી રાજી થાય છે. ભોજન માટે ઉત્સવ યોજાય છે. પાકશાસ્ત્ર એ પણ શિક્ષણનો વિષય છે અને સરસ રસોઈ, વાનગીઓ બનાવનારનું બહુમાન થાય છે. દુનિયામાં જેમ જેમ હોટેલ-રેસ્ટોરાંની સંખ્યા વધતી જાય છે તેમ તેમ સારા રસોઇયાની માંગ વધતી જાય છે. દુનિયામાં વિભિન્ન દેશો વચ્ચે વ્યવહાર-વિનિમય જેમ જેમ વધતાં જાય છે તેમ તેમ કેટલી બધી વાનગીઓનો આંતરરાષ્ટ્રીય પ્રચાર વધતો જાય છે !
એક બાજુ આખી દુનિયા ખોરાક-ભોજનની બાબતમાં નિપુણ બનતી જાય છે ત્યારે બીજી બાજુ દુનિયામાં અડધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org