________________
मोहरिते सच्चवयणस्स पलिमंथू
૧૪૯
વાત બે-ત્રણ વાર કરવાની ટેવ પડી જાય છે, પણ એ મુખરતા નથી. પરંતુ કેટલાક માણસનો સ્વભાવ જ એવો હોય છે, તેઓ કારણ વગર બોલ બોલ કર્યા કરતા હોય છે. ક્યારેક એકની એક વાત એક જ રીતે બોલબોલ કર્યા કરતા હોય છે, તો કેટલીકવાર એક જ વાત વળીવળીને જુદા જુદા શબ્દોમાં બોલ્યા કરતા હોય છે. બીજાનું સાંભળવાનું તેમને ગમતું નથી. એમની વાણી અખ્ખલિત વહ્યા કરે છે. વચ્ચે પૂર્ણવિરામ કે અર્ધવિરામ જેવું હોતું જ નથી કે જેથી બીજાને વાત કરવાની તક મળે. વળી પોતે બોલે છે તે બીજાને ગમે છે કે નહિ અથવા બીજા ધ્યાનથી સાંભળે છે કે નહિ તે જોવા-જાણવાની તેમને દરકાર હોતી નથી. પોતાના બોલવાની કેવી પ્રતિક્રિયા થશે, પોતાની પ્રતિષ્ઠાને કેટલી હાનિ પહોંચશે તેની પણ તેઓને ચિંતા કે ખેવના હોતી નથી.
આવા મુખરી માણસોનો અનુભવ ઘણાને થતો હોય છે. જેમ એક બાજુ મૂંગા કે ઓછાબોલા અને મીંઢા માણસો અનર્થ ઉપજાવે છે તેમ મુખરી માણસો પણ અનર્થ ઉપજાવે છે. ભગવાન મહાવીર કહે છે કે તેઓ સત્યનો ઘાત કરે છે.
શાસ્ત્રકારોએ કહ્યું છે કે બે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવાનું ઘણું જ દુષ્કર છે: એક જિહ્વા અને બીજી ઉપસ્થ. ઈન્દ્રિયોમાં સ્વાદેન્દ્રિય અને વ્રતોમાં બ્રહ્મચર્ય વ્રત ઉપર વિજય મેળવવા માટે મોટો પુરુષાર્થ કરવાની જરૂર રહે છે. જીભ એક છે અને એણે કામ બે કરવાનાં હોય છે–ખાવાનું અને બોલવાનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org