________________
૧પ૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
માણસને ખાતાં ન આવડે તો પેટ બગડે અને બોલતાં ન આવડે તો સંબંધો બગડે, જીવન બગડે. બગડેલા પેટને સુધારતાં વાર નથી લાગતી, પણ બગડેલા સંબંધને સુધારતાં ઘણી વાર લાગે છે.
અર્થયુક્ત વાણી એ બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યની વિશેષતા છે. પોતાને મળેલી આ વિશિષ્ટ શક્તિ કેટલું બધું કાર્ય કરી શકે છે એનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે વિસ્મય થાય છે. પોતાને મળેલી આ શક્તિનો વારંવાર ઉપયોગ કરવાનું મન થાય એ દેખીતું છે. નાનું બાળક થોડાક શબ્દો કે વાક્યો બોલતાં શીખે છે ત્યારે એ ઘણું બોલવા લાગે છે. એ બોલવામાં એકના એક પ્રકારના શબ્દો કે વાક્યોનો પુનરુચ્ચાર ઘડીએ ઘડીએ કરે છે. વાણી એ અભિવ્યક્તિનું માધ્યમ છે અને નાના બાળકને પોતાની જાતને વ્યક્ત કરવા માટે વાણીનો ઉપયોગ કરતાં આવડી જાય ત્યારે એને અતિશય આનંદ અને વિસ્મય થાય છે. પોતાની એ શક્તિનો પ્રયોગ તે વારંવાર કરવા લાગે છે. નાના બાળકની વાણીમાં મુખરતા આવે છે, પણ તે મધુર હોય છે. તેની મુખરતાનો બીજો કોઈ આશય હોતો નથી, માટે તે પ્રિય લાગે છે. આમ, મુખરતાનું લક્ષણ મનુષ્યમાં એના બાલ્યકાળથી જ આવી જાય છે. પરંતુ એ જ બાળક પાંચ-પંદર વર્ષનું થયા પછી એ જ રીતે બોલબાલા કરે તો સ્વજનોને તે દોષરૂપ લાગે છે. તેને અટકાવે છે. મુખરનો એક અર્થ બહુ અવાજ કરવો એવો થાય છે. સંસ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org