________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
ખ્રિસ્તી ધર્મમાં એકરાર (Confessions) ની પ્રથા હોય છે. માણસે કોઈ પાપ કર્યું હોય તો દેવળમાં જઈ પાદરી પાસે તેનો એકરાર કરે છે અને પાદરી કહે તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત લે છે. એક કેબિન જેવી રચનામાં પાદરી બેસે છે. પાદરીના કાન પાસે કેબિનના લાકડામાં એક કાણું કરેલું હોય છે. એકરાર ક૨ના૨ી વ્યક્તિ ઘૂંટણીએ પડી બહારથી એ કાણામાં બોલે છે જે પાદરી સાંભળે છે. પાપનો એકરાર કરનારી વ્યક્તિને પાદરીએ જોઈ નથી હોતી કે એકરાર કરનારી વ્યક્તિએ પાદરીને જોયા નથી હોતા. આમ કોણે કોની પાસે એકરાર કર્યો તેની ખબર નથી પડતી. (એકબીજાને જોઈ-જાણી શકે એ રીતે પણ એકરાર થાય છે.) આવી એકરાર કરવાની પ્રથામાં પણ એકરાર સાંભળનાર પાદરી કાચી ઉંમરનો ન હોવો જોઈએ, તે એકરાર કરનાર પાપી સ્ત્રી-પુરુષનો તન, મન, ધનથી ગેરલાભ ઉઠાવનાર ન હોવો જોઈએ, એકરારની વાતને છતી કરી દે એવો ક્ષુલ્લક મનનો કે અભિમાની તે ન હોવો જોઈએ, પાપીને અકારણ વધારે પડતી સજા કરનાર ન હોવો જોઈએ, પાપીને માનસિક રીતે ત્રાસ આપનાર કે ગુલામ બનાવી દેનાર ન હોવો જોઈએ–વગેરે બાબતો વિશે બહુ જ ચીવટ રાખવામાં આવે છે. રોજેરોજ કેટલાયે માણસોનાં પાપોનો એકરાર સાંભળનારા પાદરીના મુખમાંથી ક્યારેય ક્યાંય એક શબ્દ પણ નીકળતો નથી કે પોતાને ઘણાંનાં પાપોની ખબર છે એવી સભાનતાનો ભાસ એમના ચહેરા
૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org