________________
भोगी भमइ संसारे
૨ ૨૭.
આપી છે. આ ગાથાઓ હૃદયમાં વસી જાય એવી છે. આ ગાથાઓમાં પણ જે કેટલીક ચોટદાર પંક્તિઓ છે તેમાંથી માત્ર ત્રણ શબ્દની પંક્તિ મા અમકું સંસારે ! કેટલી બધી માર્મિક અને અર્થસભર છે ! ઉત્તરાધ્યયન સૂત્રની આખી ગાથા નીચે પ્રમાણે છે :
उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई ।
भोगी भमइ संसारे अभोगी विप्पमुच्चई ।। [ભોગોથી ઉપલેપ થાય છે (ભોગી કર્મબંધથી લેપાય છે) અભોગી લપાતો નથી. ભોગી સંસારમાં ભમે છે. અભોગી વિમુક્ત થાય છે.]
વર્તમાન સાંસારિક જીવન ઉપર દૃષ્ટિપાત કરીએ તો મોટા ભાગના જીવોની દેનિક પ્રવૃત્તિ તે પોતાની સંજ્ઞાઓને સંતોષવાની છે અર્થાત્ ભોગો ભોગવવાની છે. આહાર, નિદ્રા, મૈથુન, પરિગ્રહ ઇત્યાદિ સંજ્ઞાના બળે જીવ તેવી તેવી પ્રવૃત્તિ કરે છે. તિર્યંચ ગતિના જીવોની પ્રવૃત્તિ તો પોતપોતાની ઇન્દ્રિયો અનુસાર જીવન જીવવા માટેની છે. મુખ્યત્વે તો તેઓ આહારની શોધમાં અને આહાર મળ્યા પછી તે ખાવામાં અને પ્રજોત્પત્તિમાં પોતાનું જીવન પૂરું કરે છે.
મનુષ્યજીવનમાં ભોગવિલાસનું પ્રમાણ વધુ છે. આહાર, વસ્ત્ર, રહેઠાણ, વાહનો ઇત્યાદિ સહિત પાંચ ઇન્દ્રિયોના સુખભોગ માણવા નીકળેલો મનુષ્ય તેવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે. વૈજ્ઞાનિક સાધનો વડે તેમાં પ્રગતિ પણ
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org