________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
માણસોને લાજશરમ રહેતી નથી કે ભય રહેતો નથી’–એવી સાચી લોકાકિત પ્રચલિત છે. કામાતુર માણસો પોતાની વાસના સંતોષવા જતાં વચ્ચે આવનારનું ખૂન પણ કરી નાખે છે. પોતાને જેના તરફ જાતીય આકર્ષણ થયું હોય તેવી વ્યક્તિ બીજાને પરણી ગઈ હોય તો તેને તથા તેને પરણનારને મારી નાખવા સુધીના વિચારો કે કાર્યો થતાં હોય છે. પોતાના ગુપ્ત જાતીય વ્યવહારમાં કોઈ આડે આવતું હોય તો તેનો કાંટો કાઢી નાખતાં માણસ અચકાતો નથી. કેટલીક વાર તો પરપુરુષ સાથેના પોતાના ગુપ્ત સંબંધોને લીધે સ્ત્રીએ પોતાના પતિનું ખૂન કર્યું હોય એવા બનાવો પણ બને છે. પોતાની વાસનાની તૃપ્તિ માટે સ્ત્રી સંમતિ ન આપતી હોય તો તેને મારી નાખવાના બનાવો પણ બને છે. આમ, કામવાસનાની ઉગ્ર આતુરતાના અનર્થો ઘણા જોવા મળે છે.
૨૦
ધનની થોડીઘણી આતુરતા લગભગ બધા જ માણસોમાં હોય છે. પોતાના ગુજરાન માટે પ્રમાણિકતાથી સ્વાભાવિક રીતે ધન કમાવું એ જુદી વાત છે, પરંતુ મોટા ધનપતિ થવાની મહત્ત્વાકાંક્ષા માણસને જ્યારે સતાવે છે ત્યારે તે જાતજાતનાં કુટિલ કાર્યો કરવા પ્રેરાય છે. પોતાના કરતાં બીજી કોઈ વ્યક્તિ ધંધામાં કે ઉદ્યોગમાં આગળ નીકળી ન જાય તે માટે વિવિધ પ્રકારના કપટભર્યા રસ્તાઓ તેને અપનાવવા પડે છે. એવા ધનાતુર માણસો અન્ય લોકોને સતત પરિસંતાપ કરાવતા રહે છે. જ્યારે તેમની આતુરતાની માત્રા અતિશય વધે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org