________________
आतुरा परितावेन्ति
૨૧
ત્યારે તેમના સ્વભાવમાં પણ ઉગ્રતા અને અભિમાન આવી જાય છે. એનો કષ્ટદાયક અનુભવ સ્વજનોને, સંબંધીઓને પણ થાય છે. એમનું અભિમાન પરિસ્થિતિ બગડતાં આક્રમક સ્વરૂપ ધારણ કરે છે. કોઈએ પોતાનો સ્વમાનભંગ કર્યો હોય અથવા કોઈએ પોતાને મહેણું માર્યું હોય તો તે સહન ન થતાં ધનપતિઓએ બીજાને પાયમાલ કર્યાના કે મરાવી નાખ્યાના દાખલાઓ સમાજમાં વારંવાર જોવા મળે છે.
માણસને પોતાના જીવનનિર્વાહ માટે જે કેટલીય વસ્તુઓની જરૂર પડે છે એ માટે તે પરિશ્રમ કરે છે, કમાણી કરે છે અને પોતાને જોઈતી વસ્તુ ન્યાયપૂર્વક મેળવે છે. જ્યાં સુધી આ પ્રકારનો વ્યવહાર ચાલે છે ત્યાં સુધી-આતુરતાને કે સંઘર્ષને એકંદરે અવકાશ રહેતો નથી. પરંતુ ચીજવસ્તુઓ ઓછી હોય અને તે મેળવવા માટે ઉમેદવારો ઘણાબધા હોય ત્યારે દરેકના ચિત્તમાં સ્વાર્થ તરવરી રહે છે. જરૂર પડે તો બળ અજમાવીને, ઝૂંટાઝૂંટ કરીને પણ પોતાને માટે ચીજવસ્તુ મેળવી લેવી જોઈએ એવું માનનારા આતુર લોકો દુનિયામાં ઓછા નથી.
થશાતુર માણસો પણ ઓછા નથી હોતા. તેઓ પણ બીજાઓને સંતાપ કરાવે છે. કોઈ પણ પ્રકારે નામના મેળવવી એ એમનું લક્ષ્ય હોય છે. પોતાનાં સગુણો અને કાર્યો અનુસાર કેટલાક માણસની સમાજમાં ચોમેર કીર્તિ સ્વાભાવિક રીતે પ્રસરતી હોય છે. તેઓ બીજાને પરિતાપ કરાવતા નથી. સાચા સાધુસંતો કે સજ્જન માણસો પ્રસિદ્ધિ માટે પુરુષાર્થ કે ચેષ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org