________________
कुसीलवड्ढणं ठाणं दूरओ परिवज्जए ।
થતી નથી એટલે પાલન થતું નથી.) વળી સ્ત્રીઓને પણ શંકા ઉત્પન્ન થાય છે. માટે કુશીલવર્ધક સ્થાનને દૂરથી ત્યાગી દેવું જોઇએ.
ભગવાને મુનિઓને જે સરસ ભલામણો કરી છે એમાં અનેકના અનુભવનો પડઘો છે અને સૂક્ષ્મ મનોવૈજ્ઞાનિક વિચારણા છે.
૩૨૭
ભગવાને તો સાધુઓના બ્રહ્મચર્યના પાલન વિશે શિખામણ આપતાં જે કેટલીક મહત્ત્વની વાતો કરી છે તે ગૃહસ્થોએ પણ એટલી જ સમજવા જેવી છે.
જેમ કોઈ ચેપી રોગ ફેલાયો હોય તો જે વ્યક્તિને એ થયો હોય એનાથી આપણે દૂર રહીએ છીએ તેવી જ રીતે જ્યાં દુરાચાર ચાલતા હોય એવાં સ્થાનોથી દૂર રહેવું જોઈએ. જેમ નબળા શરીરના માણસને તરત ચેપ લાગે છે તેમ નબળા મનના માણસને દુરાચાર તરત વશ કરી લે છે. અશિષ્ટ દૃશ્યો, ફિલ્મો, સામયિકો, પુસ્તકો માણસમાં કૌતુક જન્માવે છે અને પછી તેને પતન તરફ ઘસડી જાય છે.
દુનિયામાં ઉત્તરોત્તર આંતરરાષ્ટ્રીય સંબંધો વધતા રહ્યા છે. કેટલાક દેશોને ગરજે સંબંધો ટકાવવા પડે છે તો કેટલાક સંબંધો સ્વાભાવિક ક્રમે વિકસે છે. કોઈ દેશ એકલો અટૂલો રહી શકતો નથી. રહે તો તે ઘણો પાછળ પડી જાય છે. આમ વધતા જતા આવા વૈશ્વિક વ્યવહારને કારણે એક દેશની ખરાબ ચીજવસ્તુઓ, રીતરિવાજો, વ્યસનો ઇત્યાદિ બીજા દેશમાં ઘૂસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org