________________
णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे ।
અને જે વાનગી ભેળવીને (જેમ કે દાળ-ભાત, ખીચડી-કઢી) ખાવાની હોય તેને તેઓ છૂટી વાપરે છે.
ગત શતકના સર્વોચ્ચ દીક્ષાદાતા પ. પૂ. સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ પોતે આહારની બાબતમાં અત્યંત સંયમિત હતા અને પોતાના શિષ્યોને પણ એ રીતે તૈયાર કરેલા. સ્વ. પ્રેમસૂરિદાદાએ પોતાના પચાસથી અધિક વર્ષના દીક્ષા પર્યાયમાં રોજ ઘણુંખરું એક જ વખત ગોચરી વાપરી છે અને ગોચરીમાં પણ ઘણુંખરું તેઓ બે જ વાનગી–દાળ અને રોટી અથવા ક્યારેક શાક અને રોટી વાપરતા. એમનું સૂત્ર હતું: દાળ અને રોટી, બીજી વાત ખોટી.
ભોજનમાં ફક્ત દાળ અને રોટી વાપરવાની વાત આવી એટલે ફક્ત દાળ અને રોટી ખાનાર બીજા એક સંન્યાસી મહારાજની વાત યાદ આવે છે.
અન્ય ધર્મના કેટલાક સંપ્રદાયોમાં સંન્યાસીઓ ગૃહસ્થના ઘરે જઈ ભોજન કરે એવી પ્રથા હોય છે. એક વખત એક બહેને એક સંન્યાસી મહારાજને પોતાને ત્યાં ભોજન લેવા માટે નિમંત્રણ આપ્યું. સંન્યાસી મહારાજ ખાવાના શોખીન હતા, પણ દેખાવ સાદાઈનો કરતા. જ્યારે બહેને પૂછ્યું, ‘મહારાજ ! આપને માટે શું બનાવું ?' મહારાજે કહ્યું, ‘અમારે તો બીજું કાંઈ ન જોઇએ. દાળ અને રોટી મળે એટલે બસ.' બહેને કહ્યું, ‘બસ, મહારાજ ! આટલું જ ? બીજું કંઈ નહિ ?’ ‘ના. બસ આટલું જ, પણ દાળ સફેદ બનાવજો અને રોટી
Jain Education International
For Private & Personal Use Only
૨૯૧
www.jainelibrary.org