________________
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया।
૨ ૫૯
છે, વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલો છે તથા રાત્રિદિવસરૂપી ચક્ર આયુષ્યને ક્ષીણ કરી રહ્યું છે. વળી :
जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ।
अहम्मं कुणमाणस्स अफला जंति राइजो ॥ [જ જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. જે માણસ અધર્મ કરે છે તેની રાત્રિઓ નિષ્ફળ થાય છે.]
जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ ।
धम्मं च कुणमाणस्स सफला जंति राइओ ॥ [જે જે રાત્રિઓ વીતે છે તે પાછી નથી આવતી. પરંતુ જે માણસ ધર્મ કરે છે તેની રાત્રિઓ સફળ થાય છે.]
પિતાએ પુત્રોને કહ્યું, “તમારી વાત સાચી છે, પરંતુ પહેલાં આપણે બધાં ગૃહસ્થાશ્રમનું પાલન કરી લઈએ, પછી વ્રતો અંગીકાર કરીશું અને પછી છેવટે દીક્ષા લઈ ભિક્ષાથી સંયમજીવનનો નિર્વાહ કરીશું.'
ત્યારે પુત્રોએ પિતાને સમજાવ્યું કે મૃત્યુ ક્યારે આવવાનું છે તેની કોને ખબર છે ? પુત્રોએ કહ્યું:
जस्सत्थि मच्चुणा सक्खं, जस्स वऽत्थि पलायणं ।
जो जाणे ण मरिस्सामि, सो हु कंखे सुहेसिया ॥ [અર્થાત્ જેની મૃત્યુ સાથે મિત્રતા હોય, જે મૃત્યુથી છૂટીને ભાગી શકતો હોય, પલાયન થઈ શકતો હોય અને જે એમ જાણે કે પોતે ક્યારેય મરવાનો નથી તે ભલે સુખશીલતાની ઇચ્છા રાખે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org