________________
૨ ૬૦
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
પુત્રોના સમજાવ્યાથી માતા-પિતાએ તેઓને દીક્ષા લેવા સંમતિ આપી. એટલું જ નહિ પુત્રોની પ્રેરણાથી તેઓ પણ દીક્ષા લેવા તૈયાર થયા. આમ, કુટુંબના ચાર સભ્યોએ ગૃહત્યાગ કરી સંયમના માર્ગ વિચરણ કર્યું.
પ્રાચીન કાળમાં એવી પ્રથા હતી કે જે ધનસંપત્તિનો કોઈ સીધો વારસદાર ન હોય તે ધનસંપત્તિ રાજ્યને મળે. પુરોહિતના સમગ્ર પરિવારે દીક્ષા લીધી એટલે એમની ધનસંપત્તિના કોઈ સીધા વારસદાર રહ્યા નહિ. ત્યારે રાજાની ઈચ્છા એ સંપત્તિ મેળવી લેવાની થઈ. તે સમયે રાણીએ એમને અટકાવ્યા અને સંસારની અસારતા સમજાવી. છેવટે રાજા અને રાણી પણ દીક્ષા લેવા તૈયાર થયા.
આમ, પૂર્વ ભવના છએ જીવોએ એક બીજાને પ્રતિબોધ પમાડી, દીક્ષા લઈ સંયમમાર્ગનો સ્વીકાર કરી, ઉગ્ર તપશ્ચર્યા કરી, ઘાતી કર્મો ખપાવી કેવળજ્ઞાન પામીને નિર્વાણ પામ્યા એટલે કે મોક્ષગતિ પ્રાપ્ત કરી.
આ અધ્યયનમાં મૃત્યુની અનિવાર્યતા સમજાવવામાં આવી છે. ગમે તેવો સમર્થ, લાગવગ કે પીઠબળવાળો બળવાન માણસ, મોટું સૈન્ય ધરાવનાર, અનેકને મૃત્યુના મુખમાં ધકેલી દેનાર માણસ પણ પોતાના મૃત્યુ આગળ લાચાર થઈ જાય છે. એનું કશું જ ચાલતું નથી. એ એને અટકાવી કે પાછું ઠેલી શકતો નથી. બળવાન અને સમર્થ પીઠબળવાળા અભિમન્યુ માટે કહેવાયું છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org