________________
૨ ૬ ૧
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया।
मातुलो यस्य गोविंदः पिता यस्य धनंजयः ।
अभिमन्यु रणे शेते, कालोऽयं दुरतिक्रमः ॥ કૃષ્ણ જેના મામા હતા અને અર્જુન જેના પિતા હતા એવો અભિમન્યુ પણ રણભૂમિમાં સૂઈ ગયો (મૃત્યુ પામ્યો), કારણ કે કાળ દુરતિક્રમ છે. અર્થાત્ મૃત્યુ અનિવાર્ય છે.
ચોત્રીસ અતિશય ધરાવનાર તીર્થંકર પરમાત્મા પણ પોતાનું આયુષ્ય એક ક્ષણ પણ લંબાવી શકતા નથી. તો પછી ઈન્દ્રો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, ગણધરો, સમર્થ આચાર્યો, રાજાઓ, મંત્રીઓ વગેરેની તો વાત જ શી કરવી? કહ્યું છેઃ
રાજા, રાણા, છત્રપતિ, હાથિયનકે અસવાર, સબકો જાના એક દિન, અપની અપની બાર. વેરાગ્યશતક'માં કહ્યું છેઃ सर्वभक्षी कृतान्तोऽयं सत्यं लोके निगद्यते ।
रामदेवादयो धीराः सर्वे क्वाप्यन्यथा गताः ॥ [ આ યમરાજા સર્વનું ભક્ષણ કરનારા છે એવું લોકોમાં જે કહેવાય છે તે સત્ય છે. જો એમ ન હોય તો રામદેવ (ભગવાન રામચંદ્ર) વગેરે બધા ધીરપુરુષો ક્યાં ગયા?]
હિન્દુ ધર્મમાં કહ્યું છે કે કેવા કેવા પરમ પુરુષો પણ આ ધરતી પરથી ચાલ્યા ગયા છે मांधाता भरत: शीवो दशरथो लक्ष्मीधरो रावणः
कर्ण: कंसरिपुर्बलो भृगुपतिर्भीमः परेऽप्युन्नता: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org