SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨ मृत्यु जेतुमलं न यं नृपतयः कस्तं परो जेष्यते, भग्नौ यो न महातरुर्द्विपवरैस्तं किं शशो भक्ष्यति ।। માંધાતા, ભરત, શીવ, દશરથ, લક્ષ્મીધર, રાવણ, કર્ણ, કૃષ્ણ, બલભદ્ર, ભૂગપતિ (પરશુરામ), ભીમ અને બીજા ઉત્તમ નૃપતિઓ મૃત્યુને જીતી ન શક્યા, તેને બીજા કોણ જીતી શકશે ? જે મોટું વૃક્ષ શ્રેષ્ઠ હાથીઓથી ન ભાંગ્યું તેને સસલું શું ભાંગી શકશે ?]. મૃત્યુથી છટકવા માટે માણસ ગુફામાં કે ભોંયરામાં પેસી જાય, સમુદ્રને તળિયે બેસી જાય કે વિમાનમાં આકાશમાં ઊડી જાય, જાડામાં જાડું બખ્તર પહેરી લે તો પણ મૃત્યુ જીવને છટકવા દેતું નથી. મૃત્યુને કોઈ છેતરી શકતું નથી કે હાથતાળી દઈને ભાગી શકતું નથી. એક કાલ્પનિક દૃષ્ટાન્ત આપવામાં આવે છે કે એક શિલ્પી એટલો બધો હોંશિયાર હતો કે ગમે તે વ્યક્તિની એવી આબેહૂબ શિલ્પાકૃતિ તૈયાર કરી શકતો કે જે જોઈને માણસ ભુલાવામાં પડી જાય કે આ સાચો અસલી માણસ છે કે નકલી છે. ? એક વખત એણે અરીસામાં પોતાનું મુખ જોઈને પોતાની જ મુખાકૃતિનું એવું સરસ શિલ્પ બનાવ્યું કે મળવા આવેલા ભ્રમમાં પડી ગયા. એથી શિલ્પીને તુક્કો સૂક્યો કે “હવે તો યમરાજાને પણ છેતરી શકું.” એણે પોતાની દસબાર મુખાકૃતિઓ બનાવી અને ઘરમાં જુદી જુદી જગ્યાએ એવી રીતે ગોઠવી દીધી કે જેથી માત્ર મોટું જ દેખાય. પછી જ્યારે યમદેવતા આવ્યા ત્યારે પોતે પણ એક ટેબલની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy