________________
૧૪૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧- ૨
લીધો અને વનમાં જઈ બંનેએ પોતપોતાના આશ્રમ બાજુબાજુમાં કર્યા. એક વખત એક આશ્રમમાં એક વૃક્ષ ઉપર એવાં સરસ ફળ લટકતાં હતાં કે જોનારને તે તરત પાડીને ખાવાનું મન થાય. બાજુના આશ્રમવાળા સંન્યાસી ભાઈને પણ એવું મન થયું. તેઓ પોતાની ઇચ્છાને રોકી શક્યા નહિ. બાજુના આશ્રમમાં જઈ તેમણે ચૂપચાપ એ ફળ તોડીને ચોરી લીધાં અને પોતાના આશ્રમમાં આવીને ખાધાં. પણ ગમે તે રીતે આ વાત પકડાઈ ગઈ. બંને સંન્યાસી ભાઈઓ વચ્ચે ઝઘડો થયો. ફરતી ફરતી વાત રાજદરબારે પહોંચી. રાજ્યનો કાયદો હતો કે ચોરી કરનારનાં કાંડા કાપી નાખવામાં આવે. ક્રૂર સુધન્વા રાજાએ એ ચોર સંન્યાસીનાં કાંડા કપાવી નાખ્યાં હતાં.
નાની નાની ચોરી કરવામાં પણ એક પ્રકારનો સૂક્ષ્મ માનસિક આનંદ હોય છે. એ આનંદ શુદ્ધ નહિ પરંતુ વિકૃત પ્રકારનો હોય છે. આવો વિકૃત આનંદ વારંવાર અનુભવવા મળતાં તે એક ગ્રંથિરૂપે બંધાય છે. કેટલાક શ્રીમંતોમાં આવી ચોરીનો આનંદ હોય છે. તે એક પ્રકારનો માનસિક રોગ ગણાય છે. તેને Kleptomania-ક્લેપ્ટોમેનિઆ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીમંતોને કોઈ વસ્તુ ખરીદવાનું ન પરવડે એવું નથી હોતું. તેઓનાં ઘણાં નાણાં અકારણ વેડફાઈ જતાં હોય છે. તેમ છતાં કશુંક ચોરીને મફત મેળવવાનો હલકી કોટિનો આનંદ જુદો હોય છે. એ તેમના ચિત્તમાં એવો ઘર કરી જાય છે કે વખત જતાં તે માનસિક રોગરૂપે જ પરિણમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org