SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ लोभाविले आययईं अदत्तं એવી ઘટનાઓ અનેક વાર બનતી હોય છે. પાન, સિગારેટ કે મુખવાસના શોખીનોમાં પણ આવી પ્રવૃત્તિ જોવા મળશે. જીભ ઉપર સંયમ મેળવવો એ સહેલી વાત નથી. જૂના વખતમાં (અને હજુ પણ ક્યાંક ક્યાંક) જ્ઞાતિના જમણવારમાં જમવા જતા લોકો પોતાની સાથે એકાદ વાસણ લેતા જતા અને જમતી વખતે થોડીક વાનગીઓ ચોરીછૂપીથી પોતાના વાસણમાં સરકાવી દેતા. જમણવારોમાં વાનગીઓની ચોરી એ એક સામાન્ય ઘટના છે. મોટાં શહેરોમાં તો લગ્ન વગેરેના જમણવારોમાં ખોટા માણસો ઘૂસી જવાના અનેક બનાવો વખતોવખત બનતા રહે છે. કેટલાક માણસોની તો સ્વાદેન્દ્રિય એટલી જોરદાર હોય છે કે કયા જમણવારમાં કેવી રીતે ઘૂસી જઈ મનભાવતું જમી લેવું તેની કુનેહ તેઓની પાસે હોય છે. આસક્તિ અને લોભમાંથી અદત્તાદાનની વૃત્તિ કેવી રીતે માણસના જીવનમાં ઘર કરી જાય છે તે આવા કેટલાક દાખલાઓ ઉપરથી જોઈ શકાય છે. ૧૪૩ સાધુ-સંન્યાસી થયા એટલે તરત સ્વાદેન્દ્રિયની આસક્તિથી પર થઈ ગયા એવું નથી. સંન્યાસ લીધા પછી પણ ચીજવસ્તુઓની આસક્તિ રહે છે. અને પારકી પ્રિય વસ્તુ એના માલિકને પૂછ્યા વગર લેવાનું અને મનભાવતી વસ્તુઓ ખાઈ લેવાનું મન થાય છે. એક પૌરાણિક કથા પ્રમાણે પ્રાચીન સમયમાં સુધન્વા નામનો એક ક્રૂર રાજા થઈ ગયો. એના રાજ્યમાં બે સગા ભાઈઓએ વૃદ્ધાવસ્થામાં આવતાં સંન્યાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy