________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
તેવો ગ્રંથ ઉઠાવી લેવા માટે રસિક વાચક લલચાય છે. ગ્રંથ વાંચી લીધા પછી તેને તે કશો કામનો હોતો નથી. પરંતુ હવે પાછો આપતાં તે લજ્જા અનુભવે છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે ગ્રંથોની બાબતમાં તો મોટા મોટા વિદ્વાનો પણ પ્રસંગવશાત્ અપ્રમાણિક થઈ જાય છે.
૧૪૨
શાળા-કૉલેજનાં ગ્રંથાલયોમાં વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા માટે ઉપયોગી એવા ગ્રંથો ઉપાડી જાય છે અથવા એવા ગ્રંથોમાંથી ચિત્રો, નકશાઓ અને ક્યારેક તો આખાં પ્રકરણો ફાડીને, તેને સંતાડીને લઈ જાય છે.
કેટલાક ડૉક્ટરો એ વાતની સાક્ષી પૂરશે કે પોતાને ત્યાં દર્દીઓ માટેના વેઇટિંગ રૂમમાં રાખવામાં આવેલાં નવાં સામયિકો કે સુંદર ચોપાનિયાંમાંથી કેટલાં ક્યારે ઊપડી જાય છે તેની ખબર પડતી નથી. એટલા માટે તો કેટલાક ડૉક્ટરો નવાં સામયિકોને બદલે પસ્તીવાળાને ત્યાંથી જૂના સામયિકો લાવીને મૂકતા હોય છે કે જેથી કોઈ ઉપાડી જાય તો પણ મનમાં ચીડ ન ચડે.
જેમ મનગમતી ચીજવસ્તુઓની બાબતમાં બને છે તેમ મનભાવતી ખાદ્યવાનગીઓની બાબતમાં પણ આવી પ્રવૃત્તિ ચાલતી હોય છે. ખાદ્યપદાર્થોની ચોરી એ કોઈ મોટી, મોંઘી ચોરી નથી, પણ માણસ એ વૃત્તિ ઉપર સંયમ રાખી શકતો નથી. એક રસોડે જમતા મોટાં કુટુંબોમાં અથવા નોકરચાકરવાળાં ઘરોમાં કોઈકે કશુંક છાનુંમાનું ખાઈ લીધું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org