________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
જંપે છે. કોઈકને શરમાવાનો, તો કોઈકને તો વળી જેલમાં જવાનો વખત પણ આવે છે.
૧૪૬
આવી નાની નાની ચોરી એ પણ ચોરી જ છે. ચોરી એ પાપ છે. આવી પાપવૃત્તિમાંથી બચવા માટે વધુ સજાગ બનવાની જરૂર રહે છે. મોટી ચોરી તો સજા થવાની બીકે માણસ કરતો નથી. પણ નાની ચોરીમાંથી તે જલદી છૂટી શકતો નથી. આવી નાની ચોરી લોભ, લાલચ અને આસક્તિમાંથી જન્મે છે. માણસ પોતાના જીવનમાં સંતોષની વૃત્તિ કેળવે તો તેની લોભવૃત્તિ સંયમમાં રહે. જીવનમાં સંતોષ મેળવવા માટે માણસે પોતાની ઇચ્છા, આશા, સ્પૃહા, આકાંક્ષા, તૃષ્ણા વગેરેને ઉત્તરોત્તર ઓછી કરતાં જઈ તેના ઉ૫૨ અંકુશ મેળવવો જોઈએ. મનુષ્યમાં સાચી નિઃસ્પૃહતા આવે તો પછી આખું જગત એને તણખલા જેવું લાગે. નિસ્પૃહસ્ય તળું નાત્ । નિઃસ્પૃહત્વમાંથી જે માનસિક સુખ પ્રાપ્ત થાય છે તે કેવું છે તે તો અનુભવથી જ સમજાય એવું છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ‘જ્ઞાનસાર'માં કહ્યું છેઃ
भूशय्या भैक्ष्यमशनं जीर्णवासो वनं गृहम् ।
तथापि नि:स्पृहस्याहो चक्रिणोप्यधिकं सुखम् ।। [ભૂમિ ઉપર શયન હોય, ભિક્ષાથી ભોજન હોય, પહે૨વાને જીર્ણ કપડાં હોય અને વન એ જ ઘર હોય તો પણ સાચો નિઃસ્પૃહ મનુષ્ય ચક્રવર્તીના સુખથી અધિક સુખ ભોગવે છે.]
Jain Education International
܀܀܀
For Private & Personal Use Only
www.jainelibrary.org