________________
૩ ૩૮
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
નથી. તે પોતાના રાજાનો ઘાત કરનાર છે અને ગોવાળિયો છે.” એમ કહી એણે પોતાનું ખડ્ઝ કાઢ્યું. તેણે કહ્યું કે કોઈ પણ રાજા મારી સામે થશે એને હું કાપી નાખીશ.” શ્રીકૃષ્ણ રાજાઓને કહ્યું, “શિશુપાલ યાદવોનો શત્રુ છે. મારી ફોઇને આપેલા વચન અનુસાર મેં એને નવાણુ વખત માફી આપી છે. આજે એણે મારું અને યજ્ઞમાં પધારેલા રાજાઓનું અપમાન કર્યું છે. હવે હું એને ક્ષમા નહિ આપી શકું.'
શ્રીકૃષ્ણનાં આ વચનો સાંભળી ક્રોધે ભરાયેલો શિશુપાલ શ્રીકૃષ્ણને ખગ્નથી મારવા ધસ્યો ત્યાં જ શ્રીકૃષ્ણ સુદર્શન ચક્રનું
સ્મરણ કર્યું. ચક્ર જેવું હાથમાં આવ્યું કે તરત એ વડે શ્રીકૃષ્ણ શિશુપાલનું મસ્તક ઉડાવી દીધું.
શિશુપાલ પોતે પોતાને બહુ બળવાન માનતો હતો, પણ શ્રીકૃષ્ણ પાસે એનું કશું ચાલ્યું નહિ. શ્રીકૃષ્ણનો વિજય થયો.
ભગવાન મહાવીરે અહીંનવદીક્ષિત સાધુઓને લક્ષમાં રાખીને કહ્યું છે કે “જ્યાં સુધી પરીષહ-ઉપસર્ગથી તમારી કસોટી નથી થતી ત્યાં સુધી તમે તમારી જાતને સાધુપણામાં શૂરવીર માનો તે યોગ્ય નથી.” યાચના પરીષહ માટે ભગવાને આ અધ્યયનમાં જ કહ્યું છેઃ
एवं सेहे वि अप्पुढे भिक्खायरिया अकोविए।
सूरं मण्णइ अप्पाणं जाय लूहं ण सेवइ ॥ " [એવી રીતે ભિક્ષાચર્યામાં અનિપુણ (અકોવિદ) એવા સાધુ (નવદીક્ષિત મુનિ) પોતાની જાતને ત્યાં સુધી શૂરવીર માને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org