________________
सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ ।
૩૩ ૭
અપ
હરણ કરી એની સાથે લગ્ન કર્યા. આથી શિશુપાલ ઘણો રોષે ભરાયો હતો.
શિશુપાલ શ્રીકૃષ્ણના ફોઇનો દીકરો થાય. પરંતુ શિશુપાલ નાનપણથી જ ઉદ્ધત હતો. શ્રીકૃષ્ણ વધુ બળવાન છે એ ફોઈ જાણતાં હતાં. એટલે શિશુપાલનો કંઈ વાંક હોય, અપશબ્દો બોલે તો મારામારીમાં કૃષ્ણ એને મારે અને શિશુપાલને માર ખાવો પડે. એટલે ફોઈએ એક દિવસ પોતાના પુત્ર શિશુપાલને શ્રીકૃષ્ણના ચરણોમાં નમાવીને કહ્યું કે “એ જો કંઈ ગાળ બોલે કે અપમાન કરે તો એને ક્ષમા આપજે.” શ્રીકૃષ્ણ વચન આપ્યું કે જો એ નવાણું વખત ગાળ બોલશે ત્યાં સુધી હું એને માફી આપીશ. પણ જો એ સોમી વખત અપમાનજનક વચનો બોલશે તો હું અવશ્ય અને શિક્ષા કરીશ. શ્રીકૃષ્ણ એ રીતે ફોઇને આપેલા વચનનું બરાબર પાલન કરતા હતા.
એક વખત યુદ્ધિષ્ઠિર રાજા શ્રીકૃષ્ણના કહેવાથી રાજસૂય યજ્ઞ કરવાના હતા ત્યારે ઘણા મોટા મોટા રાજાઓ પધાર્યા હતા. તેમાં શિશુપાલ રાજા પણ હતો. ભીખે યુધિષ્ઠિરને કહ્યું કે આ યજ્ઞમાં જે સર્વશ્રેષ્ઠ હોય તેની અદ્વૈપાદ પૂજા કરવી જોઇએ. શ્રીકૃષ્ણ સર્વશ્રેષ્ઠ છે. માટે તેમની પૂજા કરો.”
તે વખતે શિશુપાલ ક્રોધે ભરાયો. તેણે કહ્યું, “હે યુધિષ્ઠિર ! તમે કેવળ સ્વાર્થી છો. તમારે માન આપવું હોય તો વસુદેવને, દ્રુપદને, દુર્યોધનને, દ્રોણાચાર્યને કે વ્યાસજીને આ માન આપો. શ્રીકૃષ્ણને શા માટે ? તેઓ બ્રાહ્મણ નથી, આચાર્ય નથી, રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org