SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 30 सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ | [જ્યાં સુધી વિજેતાને જોયો નથી, ત્યાં સુધી પોતાને શૂરવીર માને છે.] ભગવાન મહાવીરે નવદીક્ષિત મુનિઓને પરિષહ અને ઉપસર્ગના વિષયમાં આ શિખામણ આપી છે, પરંતુ તે જીવનના સર્વ ક્ષેત્રોમાં સર્વ કાળે સર્વને લાગુ પડે છે. સૂત્રકૃતાંગસૂત્રમાં ત્રીજા અધ્યયનમાં ‘ઉપસર્ગ પરિશા’ના પહેલા ઉદ્દેશકની પહેલી જ ગાથા છેઃ सूरं मण्णइ अप्पाणं, जावं जेयं न पस्सइ । जुज्झतं दढ धम्माणं सिसुपालो व महारहं ॥ [જ્યાં સુધી વિજેતા પુરુષને જોયો નથી, ત્યાં સુધી કાયર માણસ પોતાની જાતને શૂરવીર માને છે. યુદ્ધ કરવામાં દઢધર્મી મહારથી શ્રીકૃષ્ણને જોયા ન હતાં ત્યાં સુધી શિશુપાલ રાજા પોતાની શૂરવીરતાનું અભિમાન કરતો હતો.] અહીં ભગવાને શ્રીકૃષ્ણ અને શિશુપાલનું ઉદાહરણ આપ્યું છે. (મહાભારતની ઘટના ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ પૂર્વે હજારો વર્ષ પહેલાંની છે.) શિશુપાલ ચેદિ દેશનો રાજા હતો. તે ઘણો શૂરવીર અને પરાક્રમી હતો. તે રુક્મિણીને પરણવા ઇચ્છતો હતો. રુક્મિણીના ભાઈની ઇચ્છા રુક્મિણીને શિશુપાલ સાથે પરણાવવાની હતી. પરંતુ શિશુપાલ જ્યારે પરણવા આવ્યો ત્યારે શ્રીકૃષ્ણે રુક્મિણીનું Jain Education International ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004557
Book TitleVeerprabhuna Vachano
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy