________________
कडाण कम्माण ण मोक्ख अस्थि ।
કરે છે, પરંતુ એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે ભોગવવામાં કોઈ ભાગ પડાવવા આવતું નથી. ગંભીર રોગના રૂપમાં તે કર્મ ઉદયમાં આવે છે અને અસહ્ય યાતના ભોગવવી પડે છે તો તે પોતે એકલાએ જ ભોગવવાની રહે છે.
કેટલાક માણસો ચોરી કરીને ઘણું ધન કમાય છે, પણ બહુ ઓછા માણસો સમજે છે કે તે અહીં જ મૂકીને જવાનું થાય છે. પરંતુ તેમનાં પોતાનાં કર્મનું ફળ એને આ ભવમાં કે પરભવમાં ભોગવવાનું આવે છે.
પોતાના લોભ કે સ્વાર્થને માટે માણસ અસત્ય બોલે છે, ચોરી કરે છે, બીજાનું છીનવી લે છે. ‘જર, જમીન અને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું' એ કહેવત તદ્દન સાચી છે. એના માટે મોટાં વેર બંધાય છે, વે૨નો બદલો લેવાય છે. એ માટે ઘો૨ હિંસા થાય છે. પરંતુ આવી હિંસાને પરિણામે તેવા જીવો નરક ગતિમાં જાય છે. એટલા માટે જ કહેવાયું છે કે ‘બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ?’
કયું કર્મ ક્યારે ઉદયમાં આવે છે એ તો કોણ કહી શકે ? ક્યારેક તે તરત ઉદયમાં આવે છે અને ક્યારેક હજારો ભવ પછી. પરંતુ કર્મનો હિસાબ અવશ્ય ચૂકતે થાય છે.
કોઈવાર ચોરી કે બળાત્કાર કરવા જતાં માણસ પકડાય અને તે વખતે જ લોકો એના પર એવા તૂટી પડે કે માણસ ત્યાં જ મૃત્યુ પામે, ત્યારે એને એના કર્મનું ફળ તરત મળ્યું એમ લોકો કહે છે. કેટલીક વાર માણસે મોટી દાણચોરી કરી
Jain Education International
For Private & Personal Use Only
૩૫૭
www.jainelibrary.org