________________
વીરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
હોય પણ આખી જિંદગી તે પ્રકાશમાં ન આવી હોય. એ રીતે ચોરીથી મેળવેલી રકમમાંથી તે સમાજમાં મોટું દાન આપે અને દાનવીર તરીકે પ્રખ્યાત થાય છે. એટલે કેટલીક વાર કર્મનું ફળ જિંદગીભર મળતું નથી. અરે કેટલાક ભવ સુધી પણ ન મળે. પરંતુ ગમે ત્યારે પણ એને એ કર્મ ભોગવ્યા વગર છૂટકો નથી. પરંતુ ભોગવવાનું આવે ત્યારે ઘણું વધારે ભોગવવાનું આવે. અશુભ કર્મ હસતાં હસતાં બંધાય છે અને રડતાં રડતાં છે ભોગવવાં પડે છે. જેમ અશુભ કર્મની બાબતમાં તેમ શુભ કર્મની બાબતમાં પણ સમજવું જોઇએ.
કર્મ અનંત પ્રકારનાં છે અને અનંત પ્રકારે ભોગવવાં પડે છે. અનંત પ્રકારનાં કર્મોનું મુખ્ય આઠ પ્રકારમાં વર્ગીક૨ણ ક૨વામાં આવ્યું છે. આ બધા કર્મોના બંધ, સત્તા, ઉદય, ઉદીરણા વગેરે ઘણી બધી ઝીણવટભરી વિગતો ‘કર્મગ્રંથ'માં અને બીજા શાસ્ત્રગ્રંથોમાં સમજાવવામાં આવી છે. માણસ જો દિવસ રાત, પોતાનાં કાર્યો કરવા સાથે દુનિયામાં બનતી ઘટનાઓ પાછળ રહેલા કર્મ અને એના પ્રકારનું ચિંતન-મનન કરતો રહે તો એનો આત્મા બહુ નિર્મળ થાય છે એમ શાસ્ત્રકારો કહે છે.
૩૫૮
જેઓ શુભાશુભ કર્મના બંધ અને ભોગવટામાંથી કાયમ માટે મુક્તિ મેળવે છે, મોક્ષગતિ પામે છે એ જીવો ૫૨મ વંદનીય છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org