________________
૨ ૧ ૬
વિરપ્રભુનાં વચનો ભાગ ૧-૨
સ્થાનાંગસૂત્રમાં કહ્યું છેઃ अट्ठ मयट्ठाणे पण्णते, तं जहा-जातिमए, कुलमए, बलमए, रूवमए, तवमए, सुयमए, लाभमए, इस्सरियमए ।
[આઠ મદસ્થાન કહ્યાં છે, જેમ કે-(૧) જાતિમદ, (૨) કુલમદ, (૩) બલભદ, (૪) રૂપમદ, (૫) તપમદ, (૬) શ્રતમદ, (૭) લાભમદ અને ઐશ્વર્યમદ.]
આ આઠ પ્રકારના મદસ્થાન તે મોટાં અને મુખ્ય મુખ્ય છે. તદુપરાંત પણ બીજા નાના પ્રકારો હોઈ શકે. સ્થાનાંગસૂત્રમાં જ કહ્યું છે કે મારી પાસે નાગદેવતા, ગરુડદેવતા આવે છે” અથવા “મારું અવધિજ્ઞાન ઉત્કૃષ્ટ પ્રકારનું છે” –એવો મદ પણ માણસને થઈ શકે છે. “રત્નકરંડક શ્રાવકાચાર'માં શ્રી સમતભદ્રાચાર્યે કહ્યું છેઃ
ज्ञानं पूजां कुलं जाति बलमृद्धिं तपो वपुः ।
अष्टावाश्रित्यमानित्वं स्मयमाहु गतस्मया: ।। [ જેમનું માન (સ્મય) ચાલ્યું ગયું છે એવા ભગવાને જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, ઋદ્ધિ, તપ અને શરીર એ આઠના આશ્રયે જે માન કરવામાં આવે છે તેને “માન” કહ્યું છે. ] એટલે જ શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે :
कुलरूवजादिबुद्धिसु तवसुदसीलेसु गारवं किं चि । - जो ण वि कुव्वदि समणो मद्दवधम्म हवे तस्स ।।
[જે શ્રમણ (અથવા મનુષ્ય) કુલ, રૂપ, જાતિ, બુદ્ધિ, તપ, શાસ્ત્ર અને શીલના વિષયમાં જરા પણ લોલુપતા અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org