________________
जो जाणे न मरिस्सामि, सो हु कंखे सुहेसिया।
૨૫૭
તો એ વડે તારા મૃત્યુ પામેલા દીકરાને જીવતો કરી આપું.” ભોળી કિસા ગૌતમી ઘેર ઘેર એ માટે ફરી હતી અને નિરાશ થઈ ભગવાન બુદ્ધ પાસે આવી ત્યારે ભગવાને સમજાવ્યું હતું કે “મૃત્યુ તો દરેકનું આવે જ છે.”
આ સંસારમાં કોઈ અમરપટો લખાવીને આવ્યું નથી. જે જગ્યું તે જાય એ વાત દીવા જેવી સ્પષ્ટ છે. જૈન ધર્મ પ્રમાણે સર્વોચ્ચ દેવગતિ- સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે અને કોઈ વાતે દુઃખ હોતું નથી, તો પણ તેમનું આયુષ્ય પૂર્ણ થાય છે. મોડો કે વહેલો, સર્વ સંસારી જીવોના આયુષ્યનો અંત આવે જ છે. આપણા પોતાના જ જીવનકાળ દરમિયાન કેટકેટલા પરિચિત જનોને વિદાય લેતા આપણે જોઈએ છીએ ! આપણે કેટલાયની સ્મશાનયાત્રામાં જઈ આવ્યા છીએ ! દુનિયામાં કોઈ ગ્રામનગર એવું નથી કે જ્યાં સ્મશાન-કબ્રસ્તાન ન હોય અને કોઈ સ્મશાન એવું નથી કે જે રજા ઉપર કે હડતાલ પર ઉતર્યું હોય. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ઈષકારીય' નામના અધ્યયનમાં કહ્યું છે કે કોઈ એવું નથી કે જે એમ કહી શકે કે
ક્યારેય મરીશ નહિ.” ઉત્તરાધ્યયન સૂત્રના આ “ઈન્ફકારીય' નામના ચૌદમા અધ્યયનમાં સંયમના પંથને વરેલા છ પુણ્યશાળી જીવોની કથાને વણી લેવામાં આવી છે. પ્રાચીન કાળમાં ઇષકાર નામનો રાજા હતો. એના નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org