________________
૧ ૧ ૪
વિરપ્રભુનાં વચનો ભાગ ૧- ૨
સફળતાનો એને નશો ચડે છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ નીકળી જવા માટે ઉશ્કેરાટ અનુભવે છે. પરંતુ પછીથી જ્યારે પછડાય છે ત્યારે પસ્તાય છે. ત્યાં સુધી એને કોઈની શિખામણ વહાલી લાગતી નથી.
સંસારમાં ધનનો મહિમા મોટો છે અને સાચી કે ખોટી રીતે મોટો જ રહેવાનો. એટલે જ ભર્તુહરિએ નીતિશતક'માં કહ્યું છેઃ
यस्यास्ति वित्तं स नर : कुलीन: स पंडितः स श्रुतवान् गुणज्ञः। स एव वक्ता स च दर्शनीय: सर्वे गुणा: कांचनमाश्रयन्ति।।
ભર્તુહરિએ અહીં કટાક્ષમાં કહ્યું છે કે જેની પાસે વિત્ત છે તે માણસ કુલીન ગણાય છે. ખરેખર ન હોય તો પણ ખુશામતખોરો દ્વારા પંડિત, સુતવાન, ગુણજ્ઞ, વક્તા, અને દર્શનીય-દેખાવડા તરીકે તેની ગણના થાય છે. સુવર્ણમાં અર્થાત્ ધનમાં અને ધનવાનમાં બધા ગુણો આશ્રિત થઈ જાય
આમ સમગ્ર વિશ્વમાં પૈસાની જ બોલબાલા દેખાય છે. એમ કહેવાય છે કે A rich man's joke (પછી ભલે તે બુઠ્ઠી હોય) is always funny. - હસવા જેવું હોય તો પણ હસીને બધા એની વાહ વાહ કરશે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ' જેવી કહેવતો ધનવાન માણસોને સમાજ કેટલું માન આપે છે તે દર્શાવે છે. “સકર્મીના સાળા ઘણા” અર્થાતુ પાસે પૈસા થાય તો એના સાળા થવાને, એની ઇચ્છા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org